ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટના મામલામાં હવે વધવા લાગ્યાં છે. IMA એક પ્રેસ રિલિઝમાં સરકારને રસીકરણ અભિયાન વધુ ઝડપ લાવવાની અપીલ કરી હતી.
IMAએ ત્રીજી લહેરની ચેતવણી આપી
દેશમાં ઓમિક્રોનના 23 કેસ નોધાઈ ચુક્યાં છે
દેશમાં વેક્સિનેશન પર પુરૂ ધ્યાન અપીલ
દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના 23 કેસ નોધાઈ ચુક્યાં છે
કોરોનાના નવો વેરિયન્ટ ઓમિક્રોન કેસો વધતા દુનિયાભરના ડોક્ટરો અને વૈજ્ઞાનિકોને ચિંતામાં મુકી દીધા છે. ભારતમાં પણ અત્યાર સુધી ઓમિક્રોનના 23 કેસો નોંધાઈ ચુક્યાં છે. આ વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોશિએસને સરકાર જોડેથી હેલ્થકેર ફ્રન્ટલાઈન વર્કસ અને ઈમ્યુનોકોમ્પ્રોમાઈઝ લોકો માટે વેક્સિનના વધારાના ડોઝ આપવા માટે આગ્રહ કર્યો છે. આઈએમએ 12 થી 18 વર્ષના છોકરાઓ વચ્ચે વેક્સિનેશનમાં પણ વધારો લાવવાની માંગ કરી છે,
IMAએ ત્રીજી લહેરની ચેતવણી આપી
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આઈએમએના ડોક્ટરોની ટીમે કહ્યું કે, ભારતના ઘણા રાજ્યમાં કોરોનાના વાયરસના નવા વેરિયન્ટના કેસો સામે આવ્યા છે. અને હવે એ નક્કી છે કે, તેની સંખ્યા વધશે. અત્યાર સુધીના મળેલા ડેટા અનુસાર જે દેશોમાં સૌથી પહેલા વેરિયન્ટ મળ્યો છે. ત્યાંના અનુભવ પર કહી શકાય કે, ઓમિક્રોન વેરિયન્ટ સૌથી વધું સંક્રમિત છે. અને તે વધુ લોકોને પ્રભાવિત કરશે. આઈએમએ ચેતવણી આપતાં જણાવ્યું કે, આ સમયમાં જ્યારે ભારત સામાન્ય સ્થિતિમાં પાછું આવી રહ્યું છે. આ બહુ મોટો ઝટકા સમાન છે. અને આપણે તેને રોકવા માટે કોઈ ઉપાય નહીં શોધીએ તો આ એક ત્રીજી મોટી લહેર સાબિત થઈ શકે છે.
દેશમાં વેક્સિનેશન પર પુરૂ ધ્યાન અપાય તો ઓમિક્રોનનો પ્રભાવ દૂર કરી શકાય
આઈએમએ કહ્યું કે,અત્યાર સુધી તૈયાર થયેલી વેક્સીનને સાબિત કરી દીધું છે. આ સંક્રમણના ગંભીર રૂપોને રોકશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જો ભારત વેક્સિનેશન પર પુરૂ ધ્યાન આપે તો નિશ્ચિત રૂપે ઓમિક્રોનનો પ્રભાવ દૂર કરી શકાય છે. આઈએમએ તમામ વેક્સિનેશનને પ્રાથમિક એજન્ડામાં લેવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે તે પણ સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે કે, તમામ જરૂરિયાત મંદોને વેક્સિનની બીજો ડોઝ ઉપલ્બ્ધ કરાવી શકાયા