દેશમાં જાહેર કરાયેલા નોટબંધીના સમયગાળા દરમિયાન અનેક કૌભાંડ થયા હોવા મામલે કલામંદિર જ્વેલર્સના માલિકે એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, 30 વર્ષથી સોના-ચાંદી, હીરાના ધંધા સાથે સંકળાયેલા છીએ અને ભરૂચ, વાપી, સુરત કોસંબામાં શો રૂમ ધરાવીએ છીએ જેમાં 400 થી વધુ સ્ટાફ છે.
સુરત કલામંદિર જ્વેલર્સની પત્રકાર પરિષદ
30 વર્ષથી સોના-ચાંદી, હીરાના ધંધા સાથે સંકળાયેલા છીએ
પૂર્વી સનદી અધિકરીની ફ્લેટની કિંમત અમારા ફ્લેટ કરતા વધુ
જ્વેલર્સના માલિકે વધુમાં કહ્યું કે, લોકડાઉનમાં કર્મચારીઓને પણ અમે પૂરો પગાર આપ્યો છે તો સમાજ પ્રત્યે અમારી જવાબદારી પ્રમાણ આપ્યું છે, આ સાથે જ તેમણે જણાવ્યું કે, આર્થિક વ્યહવારનું બીલ પ્રમાણપત્ર છે. છેલ્લા બે દિવસથી વિવાદ થયો છે અને જેમાં પૂર્વ IT અધિકારીએ અધુરી વિગતો આપી છે
પૂર્વી સનદી અધિકરીની ફ્લેટની કિંમત અમારા ફ્લેટ કરતા વધુ
આ સાથે જ માલિકે એવો પણ દાવો કર્યો હતો કે, ગુજરાતમાં જ્વેલરી રિટેલમાં સૌથી વધુ ટેક્સ ભરીએ છીએ અને છેલ્લા 5 વર્ષમાં 35 કરોડથી વધુ ટેક્સ ભર્યો છે. અધિકારી પર આક્ષેપ કરતા જણાવ્યું કે પૂર્વી સનદી અધિકરી પોતે વિવાદિત છે જેમના ફ્લેટની કિંમત અમારા ફ્લેટ કરતા વધુ છે
કોંગ્રેસના નેતાઓની સાથે મળીને પૂર્વ અધિકારીએ ષડયંત્ર રચ્યું
કલા મંદિરના માલિકે એમ પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓની સાથે મળીને પૂર્વ અધિકારીએ ષડયંત્ર રચ્યું છે અને નોટબંધીમાં અમે કોઇ ખોટુ કામ કર્યું નથી, 10 વર્ષના મારા ઓડિટ રિપોર્ટ ઓનલાઇન છે.