સોશિયલ મીડિયામાં હાલમાં વ્લોગિંગનો ક્રેઝ ઝડપથી વધ્યો છે. આ દરમ્યાન ઘણા એવા વ્લૉગર સામે આવ્યાં છે, જે પાલતુ પ્રાણીઓની સાથે લાંબી યાત્રા પર જાય છે.
સોશિયલ મીડિયામાં વ્લોગિંગનો ક્રેઝ ઝડપથી વધ્યો
પાલતુ શ્વાનને કેદારનાથ મંદિર લઇ જતા લોકો થયા નારાજ
વ્લૉગરને સોશિયલ મીડિયા દ્વારા મળી રહી છે ધમકી
પાલતુ શ્વાનને કેદારનાથ મંદિર લઇ જતા યુઝર્સ થયા નારાજ
વાયરલ વીડિયોમાં એક વ્લૉગર પોતાના પાલતુ શ્વાનને કેદારનાથ મંદિર લઇ જઇ રહ્યો છે. આ જોઇને અનેક લોકો નારાજ થયા છે અને હવે તેના પર બદ્રી-કેદાર મંદિર સમિતિએ કાયદાકીય કાર્યવાહી કરીને FIR નોંધાવી છે. શ્વાનને કેદારનાથ મંદિર લઇ જનારા વ્લૉગરનુ નામ રોહન ત્યાગી જણાવવામાં આવ્યું છે. રોહને આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. જણાવવામાં આવ્યું છે કે ક્લિપ વાયરલ થવાને કારણે રોહન સામે યુઝર્સમાં વધુ ગુસ્સો છે. તો FIR નોંધાયા બાદ પણ શ્વાનના માલિક રોહન અને તેની પત્ની હિમશીને સોશિયલ મીડિયામાં ધમકી મળી રહી છે.
રોહનના વકીલ નેહા રસ્તોગી મુજબ કેદારનાથ બદ્રીનાથ મંદિર વહીવટી તંત્ર દ્વારા મંદિરમાં પ્રાણીઓને નહીં લઇ જવા માટે કોઈ નિયમ જાહેર કરવામાં આવ્યો નથી. તેથી દંપત્તિ વિરુદ્ધ પોલીસની કાર્યવાહી અધિકારોનું ઉલ્લંઘન છે. નેહાએ એવુ પણ જણાવ્યું કે આ મામલા વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ નોંધાયા બાદ પણ દંપત્તિને ધમકી મળી રહી છે અને તેઓ માનસિક સમસ્યાના શિકાર થઇ રહ્યાં છે.