કર્ણાટક સરકારે 31 જાન્યુઆરથી નાઈટ કફ્યુ હટાવવાની તથા સ્કૂલો અને કોલેજો ખોલવાની જાહેરાત કરી દીધી છે.
દેશમાં હવે સ્કૂલ અને કોલેજો ખોલવાની પહેલ હાથ ધરાઈ
હવે કર્ણાટક 31 જાન્યુઆરથી સ્કૂલો ખોલવાની કરી જાહેરાત
નાઈટ કર્ફ્યુ હટાવવાની પણ જાહેરાત
કોરોના કાળમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને લઈને રાજ્ય સરકારો સક્રિય બની છે. ત્રીજી લહેરમાં બંધ પડેલી સ્કૂલો ફરી શરુ કરવા માટે વધુ એક સરકારે જાહેરાત કરી દીધી છે. કર્ણાટક સરકારે 31 જાન્યુઆરથી નાઈટ કર્ફ્યુ હટાવવાની તથા બેંગ્લુરુની તમામ સ્કૂલો કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને શરુ કરવાની જાહેરાત કરી દીધી છે.
We've decided to open schools in Bengaluru from Monday. Night curfew to be lifted from Jan 31; have directed concerned depts to ensure that proper SOPs are followed. Marriage functions are permitted with 200 members indoors and 300 outdoors: Karnataka Minister BC Nagesh pic.twitter.com/qc4AHHXe7L
હોટલ, બાર અને પબને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની પરમિશન
કર્ણાટકમાં સિનેમા હોલને બાદ કરતા હોટલ, બાર અને પબને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની પરમિશન અપાઈ છે. લગ્નમાં વધારેમાં વધારે 300 લોકોને મંજૂરી અપાઈ છે. રાજ્ય સરકારની જાહેરાત અનુસાર, મહારાષ્ટ્ર, ગોવા અને કેરળમાંથી આવનાર લોકોએ કોવિડ નેગેટિવ પ્રમાણપત્ર પણ દેખાડવું પડશે.
Darshan and service will be allowed in religious places at 50% capacity; swimming pool and gym at 50% capacity. Sports complexes and stadiums allowed to open at 50% capacity: Karnataka Chief Minister's Office
આ પહેલા તમિલનાડુ સરકારે પણ નાઈટ કર્ફ્યુ હટાવવાની તથા સ્કૂલ અને કોલેજો શરુ કરવાની જાહેરાત કરી હતી. આગામી સમયમાં બીજા પણ રાજ્યો આ જાહેરાત કરી શકે છે. દેશમાં કોરોનાથી સ્થિતિ ગંભીર તો છે પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન કરી શકાય તે હેતુસર કેટલાક રાજ્યો સ્કૂલો અને કોલેજો શરુ કરી રહ્યાં છે જે પ્રશંસનીય કામ છે.