ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓગ્રેનાઇઝશેનની સાથે જ દેશને આશા હતી કે, ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક થઇ શકશે પરંતુ શનિવારના તડકાની સાથે જ ચંદ્ર પર રાત શરૂ થઇ ગઇ અને આ સાથે જ વિક્રમની સાથે સંપર્ક થવાની આશા લગભગ પૂરી થઇ ગઇ છે.ISRO ના ચીફ સિવને પણ કહ્યુ કે, વિક્રમની સાથે સંપર્ક ના થઇ શક્યો અને એજન્સીનું ધ્યાન હવે સ્પેસ મિશન 'ગગનયાન' પર છે. આ સાથે જ સિવનના નિવદેન પરથી માનવામાં આવી રહ્યુ છે કે, હવે વિક્રમ લેન્ડરની સાથે સંપર્ક થવાની કોઇ સંભાવના રહી નથી.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓગ્રેનાઇઝશેનની સાથે જ દેશને આશા હતી કે, ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક થઇ શકશે
જોકે શનિવારની સવારની સાથે જ ચંદ્ર પર રાત શરૂ થઇ ગઇ અને આ સાથે જ વિક્રમની સાથે સંપર્ક થવાની આશા લગભગ પૂરી
ISRO ના ચીફ સિવને પણ કહ્યુ કે, વિક્રમની સાથે સંપર્ક ના થઇ શક્યો અને એજન્સીનું ધ્યાન હવે સ્પેસ મિશન 'ગગનયાન' પર
'એક દિવસ' નુ જ હતુ વિક્રમનું જીવન
તમને જણાવી દઇએ કે, લેન્ડરનું જીવનકાળ ચંદ્ર પર 1 દિવસ એટલે ધરતીના 14 દિવસ બરાબર હતુ. 7 સપ્ટેમ્બરના સોફ્ટ લેન્ડિંગમાં નિષ્ફળ થયા પર ચંદ્ર પર પડેલા લેન્ડરનું જીવનકાળ શનિવારના ખત્મ થઇ ગયું કેમકે 7 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધ ચંદ્રનો 1 દિવસ પૂરો થઇ ગયો અને જે પછી શનિવારના તડકાથી ચંદ્ર પર રાત થઇ ગઇ. ISRO ચીફ સિવને હજુ પણ ગગનયાનને પ્રાથમિકતા બતાવતા સંકેત આપ્યા છે કે, વિક્રમ સાથે સંપર્કની આશા લગભગ નહીવત્ છે.
ઓર્બિટર કરી રહ્યુ છે કામ:
ISRO Chief K Sivan: Chandrayaan-2 orbiter is doing very well. There are 8 instruments in the orbiter & each instrument is doing exactly what it meant to do.Regarding the lander, we have not been able to establish communication with it. Our next priority is Gaganyaan mission. pic.twitter.com/eHaWL6e5W1
ISRO ચીફ સિવને કહ્યુ કે, ઓર્બિટર પોતાનું કામ કરી રહ્યો છે. તેમાં રહેલા 8 ઉપકણ પોત પોતાનું કામ કરી રહ્યા છે. તેમણે તસ્વીરો મોકલવાની શરૂ કરી દીધુ છે અને વૈજ્ઞાનિક જોઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે, ઓર્બિટર પર 8 એડવાન્સ પેલોડ છે જે ચંદ્રની 3 D મેપિંગ કરી રહ્યા છે અને દક્ષિણ ધ્રુવ પર પાણી, બરફ અને મિનરલ્સ શોધી રહ્યા છે. ઓર્બિરટનું જીવનકાળ લગભગ 1 વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યુ હતુ, જે પછી ISRO ના વૈજ્ઞાનિકોએ કહ્યુ કે, ''તેમાં ઇંધન છે જે આગામી 7 વર્ષ સુધી કામ કરી શકે તેમ છે.''
ઉલ્લેખનીય છે કે, ISRO ના વૈજ્ઞાનિકો દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે, ચંદ્ર પર રાત થયા પછી લેન્ડરમાં લાગેલી બેટરી ચાર્જ નહી થઇ શકે અને એકવખત સ્લીપ મૂડમાં ગયા પછી ફરી સક્રિય થવાનું શક્ય નહી થઇ શકે. ફરી સંપર્ક સ્થાપિત થવા માટે 14 દિવસ મહત્વના હતા. આ માટે ISRO ના વૈજ્ઞાનિકોએ આશા છોડી ન હતી તેઓ સતત વિક્રમની સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે પ્રયત્નમાં લાગ્યા હતા. પરંતુ ISRO ના ચીફે સ્પષ્ટ કરી દીધુ કે, અંતિમ દિવસ સુધી લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત ના થઇ શક્યો.
ખરાબ થઇ જશે લેન્ડરના ઉપકરણો:
આ પાછળ કારણ છે કે, ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર રાત થઇ જશે, ત્યાં રાતનું તાપમાન ઘણુ નીચું પહોંચી જાય છે. ઘણી વખત તાપમાન શૂન્યથી 2000 ડિગ્રી સુધી નીચે પહોંચી જાય છે. લેન્ડર અને તેની અંદરના રોવર પર જે વૈજ્ઞાનિક ઉપકરણ લાગ્યા છે, તેઓ આટલા તાપમાનમાં કામ કરવા માટે લાયક નથી બનાવવામાં આવ્યા, એટલે કે આવા તાપમાનમાં ઉપકરણો ખરાબ થઇ શકે છે. ચંદ્ર પર 1 રાત ધરતીના 14 દિવસ બરાબર છે.