ન્યૂ દિલ્હીઃ અનેક વાર એવું પણ થાય છે કે બેંક લોન (Bank loan) ની રકમ વસૂલ કરવા માટે ગ્રાહક પાસે બાઉન્સરો મોકલતા હોય છે. આને વિશે સોમવારનાં રોજ લોકસભામાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, કોઇ પણ બેંકની પાસે ગ્રાહકો જોડેથી જબરદસ્તી લોન રિકવર (recover loans) કરવા માટે બાઉન્સર મોકલવાનો અધિકાર નથી.
અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કહ્યું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાનાં સ્પષ્ટ દિશા-નિર્દેશ છે કે ઉચિત પોલીસ વેરિફિકેશન અને બીજી સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ જ પૈસા રિકવર કરવા માટે એજન્ટ્સ મોકલી શકે છે. પ્રશ્નકાળ દરમ્યાન તેઓએ જણાવ્યું કે, 'કોઇની પાસે પણ લોનને જબરદસ્તી રિકવર કરવા માટે કોઇ પણ બાઉન્સર નિયુક્ત કરવાનો કોઇ જ અધિકાર નથી.'
ઠાકુરે કહ્યું કે, આરબીઆઇએ 'Guidelines on Fair Practices Code for Lenders' રજૂ કર્યા છે કે જેને બેંક દ્વારા અપનાવવાની જરૂરિયાત છે. તેમનાં બોર્ડ દ્વારા આને બે વાર અપ્રૂવ પણ કરવામાં આવેલ છે.
તેઓએ કહ્યું કે, 'આ સર્કુલર ઋણદાતાઓને લોન રિકવર કરવા દરમ્યાન કોઇ પણ પ્રકારનું શોષણ કરવાથી રોકે છે, જેમ કે ખોટી રીતે કર્જદારોને હેરાન કરવા અથવા તો લોન રિકવર કરવા માટે ખોટી તાકાતનો ઉપયોગ કરવો.'
મંત્રીએ કહ્યું કે, આની સાથે જોડાયેલી ફરિયાદોની જો વાત કરીએ તો આરબીઆઇએ જાણકારી આપી દીધી છે કે આ દિશા-નિર્દેશોનાં ઉલ્લંઘન સાથે જોડાયેલી ફરિયાદો મળવા અને બેંકોને રિકવરી એજન્ટ્સ દ્વારા ખોટા વ્યવહાર કરવાને ગંભીરતાથી લેવામાં આવી રહેલ છે. આ પ્રકારનાં મામલામાં આરબીઆઇ એક ખાસ અવધિને માટે કોઇ એરિયામાં રિકવરી એજન્ટ્સને નિયુક્ત કરવા પર આરબીઆઇ બેંકને બેન કરવાને વિશે વિચારી શકે છે.