કોરોના વાયરસ ફેલાવવા મુદ્દે ભાજપ કોંગ્રેસમાં એકબીજા સામ સામે આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે નાયાબ નીતિન પટેલે કોંગ્રેસને સીઆર પાટીલને કોરોના સુપર સ્પ્રેડર કહેતા બચાવમાં ઉતરી આવ્યા હતા.
સી.આર. પાટીલ પર વિપક્ષના આક્ષેપ નીતિન પટેલનો જવાબ
કોરોનાનું સંક્રમણ પક્ષ કે જાતિ જોઈને નથી થતો
કોરોનાનો સૌથી મોટો ભોગ કોંગ્રેસ નેતા ભરતસિંહ બન્યા છે
શું કહ્યું નીતિન પટેલે?
સી.આર. પાટીલ પર વિપક્ષના આક્ષેપ પર નીતિન પટેલનો જવાબ સામે આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, કોરોનાનું સંક્રમણ પક્ષ કે જાતિ જોઈને નથી થતો. કોરોનાનો સૌથી મોટો ભોગ કોંગ્રેસ નેતા ભરતસિંહ બન્યા છે. રોગ પ્રતિકારક શક્તિ ઓછી હશે તો કોરોનાનું સંક્રમણ થશે. કોંગ્રેસ અને ભાજપના અનેક નેતાઓ કોરોનાગ્રસ્ત થયા છે. આ સ્થિતિમાં આક્ષેપો કરવા યોગ્ય નથી.
શું છે મામલો?
કોરોના મહામારી હાલ ગુજરાતમાં માઝા મુકી છે ત્યારે કોગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પર આક્ષેપ લગાવ્યા હતા કે, તેમણે રાજકિય મેળવડાંઓ અને સભાઓ તેમજ રેલીઓ યોજીને કોરોના ફેલાવ્યો છે. એટલું જ નહીં પરંતુ સામાન્ય માણસની જેમ પાટીલ પર પણ કોરોના ફેરાવવા મુદ્દે કાર્યવાહી થવી જોઈએ.
ભાજપે તાયફાઓ કરી સમગ્ર ગુજરાતને વુહાન બનાવ્યું
અમદાવાદમાં શાકભાજી વાળા સુપર સ્પ્રેડર્સ હતા ત્યારે હવે ગુજરાતની સ્થિતિ વુહાન જેવી બનાવવા માટે કોણ સુપર સ્પ્રેડર્સ છે? કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ભાજપ સરકારને પૂછ્યા સવાલ કે, સામાન્ય માણસ માટે બેસણુ, લગ્ન સહિતના પ્રસંગો પર પ્રતિબંધ મૂકાયો જ્યારે જાહેર સભાઓ યોજવા મંજૂરી અપાઈ કેમ? કમલમમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે આ માટે કોણ જવાબદાર છે? ભાજપને આવા માહોલમાં પણ પ્રચાર સુજે છે. કોઈની મદદ માટે નહીં પરંતુ રાજકીય રોટલો શેકવા હજારોની ભીડ ભેગી કરવી કેટલી યોગ્ય? કમલમ સુપરસ્પ્રેડરનું હેડ ક્વાર્ટર બની ગયું છે. સામાન્ય માણસ કોરોનાથી ડરી રહ્યા છે. માસ્ક ન પહેરે તો 1000નો દંડ છે તો ભાજપ સરકાર C R Patil સામે કેમ પગલા લેતા ખચકાય છે?
કોંગ્રેસ MLA ઇમરાન ખેડાવાલાના કોરોના સંક્રમણ મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ C R Patil પર પ્રહારો કરીને ભાજપ સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતુ કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સુપરસ્પ્રેડર છે.
સી.આર.પાટીલ સામે કાર્યવાહીની પણ માંગણી કરી હતી. ભાજપે તાયફાઓ કરી સમગ્ર ગુજરાતને વુહાન બનાવ્યું હોવાનું પણ જણાવ્યું હતુ. પાટીલે ગુજરાતભરમાં રેલીઓ કરી કોરોના ફેલાવ્યો હોવાનું જણાવ્યું હતુ. રેલીમાં હાજર તમામ નેતાઓને ટેસ્ટ કરો મોટાભાગના પોઝિટિવ આવશે.