કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સોમવારે કેટલાક માર્ગ અકસ્માતો માટે ખામીયુક્ત પ્રોજેક્ટ અહેવાલોને જવાબદાર ઠેરવ્યા હતા
માર્ગ અકસ્માતોને લઈને નીતિન ગડકરીનું નિવેદન
ખામીયુક્ત પ્રોજેક્ટ અહેવાલો વધુ જવાબદાર
શરૂઆત ડીપીઆરથી કરવી જોઈએ
કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ સોમવારે કેટલાક માર્ગ અકસ્માતો માટે ખામીયુક્ત પ્રોજેક્ટ અહેવાલો(Faulty Project Report)ને જવાબદાર ઠેરવ્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે કંપનીઓને હાઇવે અને અન્ય રસ્તાઓના નિર્માણ માટે વિગતવાર પ્રોજેક્ટ અહેવાલો તૈયાર કરવા માટે યોગ્ય તાલીમની જરૂર છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ કહ્યું કે સરકાર નવી તકનીકીઓના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે.
ડીપીઆર તૈયાર કરતી કંપનીઓને તાલીમની જરૂર
ગડકરીએ, જેઓ તેમના નિખાલસ મંતવ્યો માટે જાણીતા છે, તેણે એક કાર્યક્રમ માં કહ્યું કે, કંપનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા કેટલાક ડીપીઆર (વિગતવાર પ્રોજેક્ટ અહેવાલો) સૌથી ખરાબ છે અને માર્ગ અકસ્માતો માટે જવાબદાર છે, ". તેમણે ડીપીઆર તૈયાર કરતી કંપનીઓ માટે તાલીમ કાર્યક્રમો યોજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
શરૂઆત DPR થી કરવી જોઈએ
તેમને કહ્યું "ત્યાંથી જ શરૂઆત કરો. જો તેમાં સુધારો નહીં થાય, તો તમે સંપૂર્ણપણે નાશ પામશો (શરૂઆત ડીપીઆરથી કરવી જોઈએ. જો ડીપીઆર તૈયાર કરતી કંપનીઓ સુધરશે નહીં તો ફરી સમસ્યા સર્જાશે). મંત્રીએ હળવા અંદાજમાં કહ્યું કે, એક અકુશળ ડ્રાઇવરના હાથમાં છે,નવી મર્સિડીઝ કાર તે પણ સમસ્યાઓ ઉભી કરી શકે છે. સાથે જ તેણે કહ્યું કે, માર્ગ પ્રોજેક્ટ્સમાં વિલંબના કારણોને ઓળખવા પર ભાર મૂક્યો હતો કારણ કે વિલંબને કારણે બાંધકામનો વધતો ખર્ચ પણ એક મહત્વપૂર્ણ ચિંતા છે.
2021 માં માર્ગ અકસ્માતમાં 1.55 લાખ લોકોનાં મોત નીપજ્યાં હતાં
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ, 2021માં ભારતભરમાં માર્ગ અકસ્માતમાં 1.55 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેના અનુસાર, દરરોજ સરેરાશ 426 લોકો અને દર કલાકે 18 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, જે અત્યાર સુધીના કોઈપણ કેલેન્ડર વર્ષમાં નોંધાયેલા સૌથી વધુ મૃત્યુઆંક છે.