આજનો દિવસ દેશની દરેક દિકરીઓ માટે ખાસ છે કારણ કે નિર્ભયાના પાપીઓના ડેથ ઓફ વોરંટ પર આજે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. કોર્ટ આરોપીઓની ફાંસીની તારીખ જાહેર કરી શકે છે. સુપ્રીમ કોર્ટે અગાઉ દોષિતોને આપેલો ક્યુરેટિવ પિટિશનનો સમય પૂર્ણ થયો છે. કોર્ટના ચૂકાદા પર સૌ કોઈની નજર મંડરાયેલી છે. કોર્ટના આદેશને અનુસરવા માટે તિહાર જેલમાં ચારેય આરોપીઓની ફાંસીની તૈયારીઓ માટે 25 લાખ રૂપિયાના ખર્ચે તખ્તો તૈયાર કરાયો છે.
નિર્ભયાના પાપીઓને ક્યારે ફાંસી ?
શું આજે ડેથ વોરંટ પર લાગશે મહોર ?
તિહાર જેલમાં ચારેય આરોપીઓની ફાંસીની તૈયારીઓ
કોર્ટમાં વકીલોમાં ઉગ્ર બોલાચાલી
સુનાવણી સમયે વકીલોની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. એકમેક પર કેસને લટકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો ત્યારે જજે કેસને થાળે પાડ્યો. તેઓએ કહ્યું કે કોર્ટની ગરિમાનો ખ્યાલ રાખો, સ્થિતિને બગાડો નહીં. આ વાટાઘાટોના કારણે પણ નિર્ણયમાં મોડું થઈ કહ્યું છે.
કોર્ટમાં કાર્યવાહી શરૂ
કોર્ટની તરફથી નિર્ભયાના તમામ 4 આરોપીઓને માટે સુનાવણી શરૂ કરવામાં આવી છે. આ માટે શક્ય છે કે આજે તમામ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે. આ કેસમાં હાલ સુધી તમામ દોષીઓ પોતાના કાયદાકીય વિકલ્પ અપનાવી ચૂક્યા છે.
ડિસેમ્બરમાં નિર્ભયાના માતા-પિતાએ દોષિતોના ડેથવોરંટ માટે કોર્ટમાં અરજી કરી હતી. પોલીસે પણ કોર્ટ સમક્ષ દોષિતોની ફાંસીની માગણી કરી હતી. જો કે આ અરજી બાદ દોષિત અક્ષયે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે દોષિત અક્ષય ઠાકુરની પુનર્વિચાર અરજી નકારી હતી. આ અગાઉ 18 ડિસેમ્બરે પટિયાલા હાઉસકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં દોષિતોના વકીલે ફાંસી માટે ઉતાવળ નહી કરવા રજૂઆત કરી હતી. આથી કોર્ટે ન્યાય સિદ્ધાંત અંતર્ગત ક્યૂરેટિવ પિટિશનનો સમય આપ્યો હતો. જે આજે પૂર્ણ થતા કોર્ટ આરોપીઓની ફાંસીની તારીખ જાહેર કરી શકે છે.
તિહાર જેલમાં કરાઈ છે આ વ્યવસ્થા
તિહાર જેલમાં લગભગ 25 લાખ રૂપિયાના ખર્ચે એક નવો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. કોર્ટનો આદેશ આવતાં જ એકસાથે ચારેય આરોપીઓને ફાંસી આપવામાં આવશે. જેલમાં જે જૂનો તખ્તો હતો તેમાં 2 લોકોને ફાંસી આપવાની વ્યવસ્થા હતી. આ સિવાય એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જેલ અધિકારીએ જણાવ્યું છે કે તેમની તરફથી તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. કોર્ટના આદેશની રાહ જોવાઈ રહી છે.
નિર્ભયાની માતાએ કરી હતી સુનાવણીની અરજી
નિર્ભયાની માતા દ્વારા કરવામાં આવેલી સુનાવણીની અરજીને ધ્યાનમાં રાખીને પટિયાલા હાઉસ કોર્ટે દોષીઓના ડેથ વોરંટની સુનાવણી માટે આજની તારીખ એટલે કે 7 જાન્યુઆરી નક્કી કરી છે. આ પહેલાં પણ નિર્ભયાના ગુનેગારો દ્વારા જેલમાં અપરાધિક બનાવોના સમાચાર પણ આવ્યા છે. આ સાથે તેઓ ફાંસીની સજા થોડા સમય માટે ટાળી દેવામાં આવે તેની કોશિશ કરી રહ્યા છે.