નિર્ભયાના દોષિતોને ફાંસીની સજા આપવાની માગને લઇને સમાજસેવી અન્ના હજારે છેલ્લા 34 દિવસથી મૌન વ્રત પર બેઠા છે. ત્યારે ભાજપ સરકારના મંત્રીએ અન્ના હજારેની મુલાકાત લીધા બાદ કહ્યું કે, જ્યાં સુધી દોષિતોને ફાંસીની સજા નહીં મળે ત્યાં સુધી તેઓ ઉપવાસ કરશે અને અન્નને હાથ નહીં લગાવે.
નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા મામલો
મોદી સરકારના મંત્રીએ કહ્યું- દોષિતોને ફાંસી નહીં મળે ત્યાં સુધી નહીં જમું
અન્ના હજારેને મળ્યા પછી, આઠવલેએ કહ્યું, 'આજે હું અન્ના હજારેને રાલેગણ સિદ્ધિમાં મળ્યો હતો. મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી નિર્ભયાના દોષિઓને ફાંસી આપવામાં નહીં આવે ત્યાં સુધી હું કંઈપણ નહીં ખાઈશ. આપને જણાવી દઈએ કે તિહાડ જેલમાં નિર્ભયાના દોષીઓને ફાંસી આપવાના ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યા છે અને તેમને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવશે.
1 ફેબ્રુઆરીએ આપવામાં આવશે ફાંસી
ચારેયને ફાંસી આપવાની નવી તારીખ 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે નક્કી કરવામાં આવી છે. જલ્લાદને 30 જાન્યુઆરીએ બોલાવવામાં આવી રહ્યો છે, જેથી તે પહેલાં તે તેમને ફાંસી આપવાની ટ્રાયલ પણ કરી શકે. તે દરમિયાન, જો મુકેશ સિવાય અન્ય ત્રણ (પવન, અક્ષય અને વિનય) દયાની અરજી કરી છે, તો પછી આ મામલો થોડા દિવસો સુધી વધુ લંબાઇ શકે છે. આવી સ્થિતિમાં કાનૂની નિષ્ણાતો કહે છે કે, કદાચ નવી તારીખ આપવામાં આવશે.
ગુનેગારોનાં ચહેરા પર તણાવ વર્તાઈ રહ્યો છે
બીજી તરફ ગુરુવારે નિર્ભયાનાં ચારેય ગુનેગારોને ફાંસી ઘરથી નજીક આવેલ હાઈ સિક્યોરિટી સેલમાં કેમને શિફ્ટ કરી દેવામાં આવ્યાં છે. હવે આ ગુનેગારોનું નવું સરનામુ જેલ નં-3 બની ગયું છે. અત્યારે સુધી આ ગુનેગારો અલગ અલગ વોર્ડમાં બંધ હતાં. જેલ સૂત્રોનાં જણાવ્યાંનું સાર આ ગુનેગારોનાં ચહેરા પર તણાવ દેખાઈ રહ્યો છે.