જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલાં કસમોસમી વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં તોફાની વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે અને નદીઓ ઉછાળા મારી રહી છે. બરફવર્ષા અને વરસાદના કેર વચ્ચે કાશ્મીરવાસીઓ અટવાઈ ગયા છે. શ્રીનગરમાં 10 વર્ષ બાદ એપ્રિલ મહિનામાં બરફવર્ષા થઈ હતી. જમ્મુ-શ્રીનગર હાઈવે સતત બીજા દિવસે બંધ રાખવાની ફરજ પડી હતી. શ્રીનગર અને ઘાટીમાં રવિવાર સુધી શાળાઓ બંધ કરવા સૂચના અપાઈ છે. શ્રીનગરમા સર્વત્ર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે વિઝિબિલિટી ઘણી ઓછી થઈ ગઈ છે. કાશ્મીરમાં ભારે વરસાદને પગલે શ્રીનગર-બારામૂલા ટ્રેક પર રેલવે સેવા ખોરવાઈ છે.
કશ્મીરના હવામાનને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. કશ્મીરમાં ભારે વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ઝેલમ નદીમાં પૂર આવવાની શકયતા વયક્ત કરવામાં આવી છે. તંત્રએ NDRFની ટીમને અલર્ટ આપ્યું છે તો સાથે જ સ્થાનિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ કશ્મીરમાં સ્થિતિને જોતા 10 એપ્રિલ સુધી શાળા કોલેજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.