પાલનપુરમાં વરસાદના વરતારા માટે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિસંવાદમાં ગુજરાતભરમાંથી 15 જેટલા આગાહીકારો ઉપસ્થિત રહ્યા હતા. આગાહીકારોએ આગાહી કરી કે આગામી ચોમાસું મધ્યમથી સારું રહેશે.
વર્ષાઋતુ એ માનવસમુદાય અને ખેડૂતો માટે અગત્યની ઋતુ ગણાય છે. ત્યારે આવનાર ચોમાસું કેવુ રહેશે તે માટે પાલનપુરમાં પરિસંવાદ યોજાયો હતો. પરિસંવાદમાં ગુજરાતભરના આગાહીકારો ઉપસ્થિત રહ્યા હતા. જેમણે આગામી ચોમાસા વિશે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ચોમાસું કેવું રહેશે તેની વાત સમજાવી હતી.પરિસંવાદમાં જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આગામી ચોમાસામાં સારો વરસાદ થશે તેવી આગાહી કરી હતી. તેમજ ખેતીપાકોમાં રોગ-જીવાત આવવાની પણ શકયતા દર્શાવી હતી.
આપણે ત્યાં નૈઋત્યના પવનો વનસ્પતિની વૃદ્ધિ ભડલી વાકયો ગ્રહોની દ્રષ્ટ્રીઓ વગેરેને ધ્યાને લઈને આગાહી કરાતી હોય છે. ત્યારે આવનારું ચોમાસું કેવું રહેશે તેના પર ખેડૂતોની મીટ મંડાયેલી છે. અહીં યોજાયેલા પરિસંવાદમાં એવી આગાહી કરવામાં આવી કે આગામી ચોમાસું મધ્યમથી સારું રેહશે.