વડાપ્રધાન ઓસ્ટ્રેલિયામાં છવાઇ ગયા બાદ હવે લાઓસમાં ધુમ મચાવી હતી.. પીએમ મોદીએ ભારતના આસિયાન દેશો સાથે સંબંધ વધુ મજબુત કરવા અને દેશમાં આતંકવાદનો નાબુદ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો..
પીએમ મોદી એ ઇન્ડિયા આશિયાન સમિટમાં ત્રીજી વખત ભાગ લીધો. બે દિવસીય કાર્યક્રમની શરૂઆત મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબેને મળીને કરી હતી. જ્યારે બન્ને દેશના વડા મળ્યા ત્યારે એકબીજાને પર ભરોસો રાખવાનો ભાવ દેખાયો હતો.
વડાપ્રધાન મોદીએ લાઓસમાં ઇન્ડિયા આશિયાન સમિટને સંબોધી હતી અને આતંકવાદનો મુદ્દો ઉઠાવાવ્યો. વધી રહેલી હિંસા અને આતંકવાદ સહિત સમાજની કટ્ટરવાદને સુરક્ષા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો. આતંકવાદ નાબુદ કરવા માટે દુશ્મનોને ખતમ કરો અને દેશના નાગરિકોની ચિંતા વ્યકત કરી હતી.
તો બીજી તરફ પીએમ મોદીએ કહ્યુ કે આસિયાન ઇન્ડીયા પ્લાન ઓફ એકશન હેઠળ 54 ગતિવિધીઆની પહેલ લાગુ કરી દેવામા આવી છે. ભારતનો આશિયાન દેશો સાથે વેપાર સુરક્ષા અને રાજકીય સંબંધનો વર્ષો જુનો સબંધ વધુ ગાઢ બનશે. આ ઉપરાંત લાઓસની ધરતી પરથી વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો. પીએમ મોદી હવે કેટલાક દેશના પ્રમુખ સાથે ટૂંકી મુલાકાત બાદ સભ્યો દેશો સાથે મંત્રણા કરશે.