પહેલા કાર્યકરોની જાસૂસીનો આક્ષેપ. બાદમાં કાર્યકરોની વ્યક્તિગત પ્રશ્નો પુછી હેરનગતીનો આક્ષેપ. અને હવે અકળામણ. જી. હાં. અમે વાત કરી રહ્યા છીએ AAP પાર્ટીની. ગુજરાતમાં AAP પાર્ટીના કાર્યકરોએ પોતાની ફોન ટેપીંગ જાસૂસી અને હેરનગતીનો આક્ષેપ કર્યો હોવાની વાત નવી નથી. પરંતુ હવે તો ભાજપના જ મંત્રીએ AAP પાર્ટી સામે જાહેરમાં અકળામણ વ્યક્ત કરી દીધી. પણ આખરે કેમ?. આખરે AAPની એવી તો શું મતબૂતાઈ છે કે ભાજપને રણનીતિ ઘડવી પડે?.
રાજ્ય સરકારના મંત્રીનો આ બળાપો AAP પાર્ટી પર છે. દિલ્હીમાં પાણી મફત આપવાની AAP પાર્ટીની કવાયત બાદ રાજ્યના મંત્રીએ આ વાત કરી દીધી. જો કે અહીં વાત અકળામણની છે અને તે પણ AAP પાર્ટી સામે. રાજ્યમાં થોડા દિવસ પહેલા જ AAP પાર્ટીના કાર્યકરોએ ફોન ટેપીંગ જાસૂસી અને વ્યક્તિગત પ્રશ્નો પુછી હેરાનગતી થતી હોવાના આક્ષેપો કર્યા હતા. રાજકીય નિષ્ણાતોનું માનીએ તો આપ પાર્ટીની કેટલીક મજૂતાઈ છે. અને તેથી જ ભાજપે ચૂંટણી પહેલા કેટલીક વ્યૂહ રચના ઘડી કાઠી છે.
(1) આપ પાર્ટીની મજબૂતાઈ જોઈએ તો છેલ્લા દસ દિવસમાં જ ગુજરાતમાં AAPના સવા લાખથી વધુ સભ્યો નોંધાઈ ચુક્યા છે. અને એટલે જ ભાજપે રાજ્યમાં AAPની અસર ઘટાડવા રણનીતિ ઘડી કાઢી છે.
(2) આપની મજબૂતાઈ જોઈએ તો એક જ દિવસમાં AAP પાર્ટીમાં પાંચ હજારથી વધુ સભ્યો નોંધાઈ રહ્યા છે. તો ભાજપની વ્યૂહ રચના જોઈએ તો આપ સામે કેગની મદદ લેવાઈ રહી છે. કેગ એટલે કે સિટીઝન ફોર એકાઉન્ટેબલ ગવર્નન્સ જે ઉચ્ચ શિક્ષિત પ્રોફેશનલ્સથી બનેલી સંસ્થા છે. આ સંસ્થાને દિલ્હીમાં ટુંક સમયમાં જ AAP સામે પ્રચાર યુદ્ધ છેડવાનું કહેવામાં આવ્યું છે.
(3) આ તરફ ગુજરાતમાં આપમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા સામાજિક કાર્યકર મલ્લિકા સારાભાઈ પૂર્વ IAS અધિકારી વ્યાસના સમર્થનથી બળ મળ્યું છે. જ્યારે ભાજપે દિલ્હીમાં AAP પાર્ટી સામે પ્રચાર યુદ્ધ શરૂ કરાયું છે.
(4) ગુજરાતમાં આપના કાર્યકરોની જાસૂસી શરૂ થઈ. આ ઘટના આપ પાર્ટીની મજબૂતાઈ તરીકે પણ જોઈ શકાય છે. કારણ કે રાજ્ય સરકાર અગાઉ પણ જાસૂસીકાંડ જેવા મુદ્દે ઘેરાઈ ચુકી છે. તો ભાજપે શિક્ષિત યુવાનોને આકર્ષવા રણનીતિ ઘડી છે. જેમાં કેગ અને ભાજપે 15 રાજ્યોમાં એક યોજના ઘડી કાઢી છે. જ્યાં યુવા પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓના કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે
(5) ગુજરાતમાં આપના કાર્યકરોએ ફોન ટેપીંગનો આક્ષેપ કર્યો છે. અને આ આક્ષેપોથી આપની ગતિને બળ પણ મળ્યું છે. તો ભાજપે કેજરીવાલ ઘેરો ઝુંબેશ શરૂ થઈ છે. જેમાં ભાજપે દિલ્હી એકમને કેજરીવાલ અને તેની ટીમને સ્થાનિક મુદ્દાઓ પર ઘેરવા સૂચના અપાઈ છે. જેથી કરીને કેજરીવાલટીમ દિલ્હી બહાર ધ્યાન કેન્દ્રીત ન કરી શકે.
(6) એક એવો પણ મત છે કે AAP પાર્ટી શહેરી મતવિસ્તારોમાં ભાજપને નુકસાન પહોંચી શકે છે. તો ભાજપે ટાર્ગેટ દિલ્હી કાર્યક્રમ હેઠળ યુવા અને શિક્ષિત વર્ગના સોથી બસ્સો ગૃપમાં ભાજપ અને મોદીના આયોજન વિશે માહિતી આપવામાં આવી રહી છે.
(7) રાજ્યમાં આપ પાર્ટીની મજબૂતાઈ જોઈએ તો શહેરી વિસ્તારોમાં પાર્ટીનો જુવાળ જોવા મળી રહ્યો છે. તો ભાજપે મિશન 272ની મથામણ શરૂ કરી છે.
(8) આપની મજબૂતાઈ જોઈએ તો શિક્ષિત અને યુવા વર્ગ પાર્ટીથી ક્રેઝી છે. જ્યારે ભાજપની રણનીતિ જોઈએ તો યુવા અને શિક્ષિત વર્ગને આકર્ષવા નવી તરકીબો અજમાવી રહી છે. જેમાં 3D ટેકનોલોજીનો થશે રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ થઈ રહ્યો છે.