આફ્રિકાના ગાંધીની ઓળખાણ પામેલ નેલ્સન મંડેલાની આજે 100મી જયંતિ છે. નેલ્સન મંડેલાનો જન્મ 8 જુલાઇ 1918માં દક્ષિણ આફ્રિકાના વેજો(Mvezo)માં થયો હતો. સંયુક્ત રાષ્ટ્ર તેમના જન્મદિવસને 'નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે ઓળખે છે. મંડેલા ફેફસામાં થયેલા રોગને કારણે લાંબી બીમારીને કારણે 5 ડિસેમ્બર 2013માં અવસાન પામ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તેમણે હંમેશા ભલાઇનું કાર્ય કર્યું. દેશમાં લોકતંત્ર લાવવા માટે તેમણે પોતાની જવાનીના 27 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. 1990માં જેલમાંથી તેમને મળેલ મુક્તિ બાદ તેઓ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમણે 1994થી 1999 સુધી સત્તા સંભાળી હતી. નેલ્સનને શાંતિના દૂત તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાના તમામ નેલ્સન મંડેલામાંથી પ્રેરણા લઇને જીવી રહ્યા છે. તેમના વિચારોએ કેટલાક લોકને જીવતા શીખવાડ્યું છે.
આજે પણ આ 10 વિચાર માનવીને જીવનમાં સફળતા અપાવે છે.
1 જ્યાં સુધી કામ કરવામાં ના આવે ત્યાં સુધી તે અસંભવ લાગે છે.
2 માટા ગર્વની વાત ક્યારેય નહીં પડવામાં નહીં પરંતુ પડીને ઉભા થવામાં છે.
3 શિક્ષણ સૌથી મોટું હથિયાર છે. જેનો ઉપયોગ દુનિયા બદલવા માટે કરી શકાય છે.
4 એક સારૂ મગજ અને સારું દિલ હંમેશા વિજયી જોડીમાં રહે છે.
5 આપ સામેવાળા વ્યક્તિની માતૃભાષામાં વાત કરશો તો તેને તે વધુ પ્રિય લાગશે.
6 એક ઊંચો પહાડ ચઢ્યા બાદ બીજા પહાડ તરફ જોવું જોઇએ જેમાં તમારે સફળ થવાનું છે.
7 કોઇપણ માનવી જન્મથી રંગ હાલત અને તેના ધર્મ પ્રતિ નફરત લઇને પેદા નથી થતો.
8 જીંદગી જીવવા માટે જુસ્સો અને જનૂનની જરૂરી છે પછી તે કામ મોટું હોય કે નાનું.
9 મારા દેશમાં પહેલા લોકો જેલ જાય છે અને પછી રાષ્ટ્રપતિ બને છે.
10 મેં એ જાણ્યું કે ડરનું ના હોવું સાહસ નથી. પરંતુ ડર પર વિજય મેળવવો તે સાહસ છે.