તારક મહેતા...શૉ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. શૉએ હાલમાં 12 વર્ષ પુરા કર્યા અને 3000 પૂરા કર્યા છે. જો કે આ ઘટના પહેલા જ શૉના બે જુના કલાકારો શૉને અલવિદા કહી ચૂક્યા છે.
નેહા મહેતાએ કર્યો મોટો ખુલાસો
શા કારણે શૉમાં પરત નહોતી ફરી
ગ્રુપિઝમનો થઇ હતી શિકાર
નેહા મહેતા કે જે શૉમાં અંજલિનુ પાત્ર ભજવતી હતી અને ગુરુચરણ સિંહ કે જે સોઢીની ભૂમિકામાં નજર આવતો હતો. બંને લોકોએ અંગત કારણોસર શૉ છોડી દીધો છે. નેહાની જગ્યા સુનયના ફોજદારે લઇ લીધી છે.
નેહા પહેલા એપિસોડથી સિરિયલમાં અંજલિનુ પાત્ર ભજવી રહી છે પરંતુ 11 વર્ષ બાદ તેણે શૉને બાય બાય કહી દીધુ છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં પોતાની વાપસીને લઇને કેટલીક વાતો શેર કરી હતી.
પરત ફરવા માંગતી હતી નેહા
નેહાએ જણાવ્યું કે તે શૉમાં પરત ફરવા માંગતી હતી પરંતુ તેને સેટ પર કેટલાક બદલાવ જોઇતા હતા જે બદલાવ કરવાની મેકર્સે ના પાડી દીધી હતી. તેના વિરુદ્ધ સેટ પર ગ્રુપિઝમ કરવામાં આવતુ હતુ. જેથી કેટલીક વાર મૌન જ સૌથી મોટો જવાબ હોય છે.
તેણે કહ્યું કે અહીંયા એક નિયમ છે કે તમારે કામ કરવુ હોય તો કરો નહી તો છોડી દો. એક પોઇન્ટ આવ્યો જ્યારે મે વિટાર્યું કે અહીંયા રોકાઇ જવુ જોઇએ પરંતુ તેવુ સંભવ ન બન્યું. તારક મહેતા... પહેલા પણ મે મનોરંજન જગતમાં ઘણુ કામ કર્યુ છે.
નેહાએ કહ્યું કે માત્ર તારક મહેતા શૉ નથી જે મને સેલિબ્રિટી બનાવે છે. હું એક સેલિબ્રિટી છુ જે તારક મહેતાનો હિસ્સો હતી. એક શિક્ષિત અને સમજદાર હોવાને કારણે મારે ઘણી વસ્તુઓ વિચારવી પડે છે. આ શૉ એવો હતો જે મને નિયમિત કમાણી આપતો હતો.