સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 120406 છે. કોરોના મહામારીથી હાલ સુધીમાં 6929 દર્દીના મોત થયા છે અને સાથે 119292 લોકો સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 9971 કેસનો વધારો થયો છે અને સાથે જ 287 લોકોના મોત થયા છે. દેશમાં કુલ સંખ્યા 2.46 લાખને પાર પહોંચી છે.
દેશમાં કોરોનાનો કહેર વધ્યો
દેશમાં 24 કલાકમાં 9971 કેસનો વધારો થયો
24 કલાકમાં 287 લોકોના મોત થયા
India reports the highest single-day spike of 9971 new #COVID19 cases; 287 deaths in the last 24 hours. Total number of cases in the country now at 246628, including 120406 active cases, 119293 cured/discharged/migrated and 6929 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/x1YQDTqWPb
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 120406 થયા છે. જ્યારે કોરોના મહામારીથી હાલમાં 6929 લોકોના મોત થયા છે. 119292 લોકો સાજા થયા છે. એક વિદેશી પરત ફર્યો છે. કોરોના વાયરસનો સૌથી વધુ પ્રભાવ મહારાષ્ટ્રમાં જોવા મળ્યો છે.
મહારાષ્ટ્રમાં હાલ સુધીમાં 3000 લોકોના થયા મોત
મહારાષ્ટ્રમાં શનિવારે કોરોનાથી મુંબઈમાં 58 લોકો સહિત 120 લોકોના મોત થયા છે. આ મહામારી સાથે મૃત્યુઆંક 2969 સુધી પહોંચ્યો છે. 2739 નવા કેસની સાથે સંક્રમિતોની સંખ્યા 82968 થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દી સ્વસ્થ થવાનો રેટ 45.6 ટકા છે અને મૃત્યુદર 3.57 ટકા છે. શનિવારે 2234 દર્દીને સ્વસ્થ થયા બાદ હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. કોરોનાથી હાલ સુધીમાં અહીં 37390 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં હાલ સુધીમાં 42609 દર્દીની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં 5,37, 124 ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોનાના કુલ 82968 કેસમાંથી મુંબઈમાં 47354 કેસ છે અને શહેરમાં 1577 લોકોના મોત નીપજ્યા છે.
Total 46,66,386 samples have been tested till now, of which 1,42,069 samples have been tested in the last 24 hours: ICMR (Indian Council of Medical Research) pic.twitter.com/6cAIygxVOy
ગુજરાતના અમદાવાદમાં શનિવારે કોરોનાના કારણે 289 નવા કેસ સામે આવ્યાની સાથે મૃતકોની સંખ્યા 994 પહોંચી છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે આ સમયમાં 289 વધુ લોકોની પુષ્ટિ થઈ છે. જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 13967 થઈ છે. ગુજરાતમાં કોરોનાના 498 નવા કેસ આવ્યા બાદ સંખ્યા 19617 પહોંચી છે. 29 દર્દીના મોત બાદ મૃત્યુ સંખ્યા 1219 થઈ છે.