મુખ્યમંત્રી વિજય રૂપાણી નવસારી જીલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાનકુવા ગામે જળસંચય યોજનાનો આરંભ કરાવ્યો હતો. જળસંચય યોજના હેઠળ પાણી સંગ્રહ કરવાનો હેતુ સફળ કરવાના આશય સાથે રાજ્યમાં જળસંચય યોજના લાગૂ પાડવામાં આવી છે. જેના ભાગરૂપે CM રૂપાણી નવસારી જીલ્લામાં આવી પહોચ્યા હતા. અને જ્યાં તેમણે આ યોજનાનો આરંભ કરાવ્યો હતો.જયાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં જળસંચય અભિયાનને સારો વેગ મળ્યો છે.અને 28 હજાર શ્રમજીવીઓ સાથે શરૂ કરેલ 3 લાખ 28 હજાર લોકોને રોજગારી મળી છે.
ઉલ્લેખનીય છે કે નવસારીના વાંસદાના ખડકાળા ગામ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વિરોધ કરવામાં આવ્યો છે.વાંસદાના ધારાસભ્ય સહિતના કાર્યકરોએ સીએમ રૂપાણીનો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા.કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરે તે પહેલા પોલીસ દ્વારા ધારાસભ્ય સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે આ તરફ રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ્થાને ઝિંગા ફાર્મના મુદ્દે વિરોધ કરાયો હતો.જયાં વિરોધ કરતા 10 લોકોની અટકાયત કરાઈ હતી.અમરેલી રાજુલા પીપાવાવના ગ્રામજનોએ રેલી કાઢી મુખ્યમંત્રીના નિવાસ્થાને વિરોધ કરવા પહોંચ્યા હતા.અને વિરોધના પગલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.