જમ્મુ કશ્મીરમાં ટેરર ફંડિગ મામલે હૂર્રિયત નેતાઓ પર સકંજો કસાયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ અલગાવવાદીઓની કરેલી પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. સૈયદ શાહ અલી ગિલાનીએ પાકિસ્તાન પાસેથી રૂપિયા લીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ રૂપિયાનો ઉપયોગ ઘાટીમાં પથ્થરબાજોને પ્રોત્સાહિત કરવા માટે કરાયો હોવાનું બહાર આવ્યું છે. હુર્રિયત નેતા બિટ્ટા કરાટે જાવેદ અહેમદ બાબા બાબા અને નઈમ ખાને પૂછપરછમાં આ ઘટસ્ફોટ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે એક ખાનગી ન્યૂઝ ચેનલે હૂર્રિયત નેતા નઈમ ખાનનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. જેમાં તેમણે કશ્મીરમાં અશાંતિ માટે પાકિસ્તાનથી ફંડિગ થતું હોવાની કબૂલાત કરી હતી. જે બાદથી આ સમગ્ર મામલાની તપાસ કરવા રાષ્ટ્રીય તપાસ એજન્સીની ટીમ કશ્મીર પહોંચી હતી. આ દરમિયાન હૂર્રિયતના આ ત્રણ નેતાઓને NIAએ સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવ્યા હતા.