ચીનમાં કહેર વર્તાવનાર કોરાના વાયરસ ત્યારે 21 દેશોમાં ફ્લાઈ ચુક્યો છે. ચીને તેની સામે લડવા માટે એક રસીની શોધ કરી છે. બીજી તરફ ડૉક્ટરોએ કોરોનાથી બચવા માટે ઘરેથી બહાર નીકળાતા સમયે N95 માસ્ક પહેરવાનું સલાહ આપી છે. જેને કારણે N95ની ડિમાન્ડ વધી છે. જેની અસર ભારત પર પણ જોવા મળી રહી છે. જાણો ભારતમાં આ માસ્કની માર્કેટ પર શું અસર પડી છે.
ચીનના કોરોના વાયરસથી ભારતની કંપનીઓને ફાયદો
N95 માસ્કની ડિમાન્ડ વધતા કંપનીઓનું પ્રોડક્શન બે ગણું
માસ્ક બનાવતી કંપનીઓએ કામના કલાકોમાં વધારો કર્યો
ચીનમાં માસ્કની ડિમાન્ડ વધી
ચીનમાં તમામને ઘરેથી બહાર નીકળતા સમયે N95 માસ્ક પહેરવાની સલાહ ડૉક્ટરો દ્વારા આપવામાં આવી છે. જેને કારણે માસ્ક બનાવતી તમામ કંપનીઓએ તેનું પ્રોડક્શન ડબલ કરી નાંખ્યું છે. દુકોનોમાં માસ્ક લેવા માટે લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે.
માસ્ક બનાવતી કંપનીઓએ કામના કલાકોમાં વધારો કર્યો
ચીનમાં માસ્કની ડિમાન્ડ વધવાનાં કારણે ભારતમાં માસ્ક બનાવતી કંપનીઓની પાસે એક્સ્ટ્રા ઓર્ડર મળી ચૂક્યા છે. ભારતમાં N95 માસ્ક બનાવનારી એક કંપનીનાં એએમ મેડિવેયરનાં એમડી અભિલાષે જણાવ્યું હતું કે અમને ભારતીય એક્સપોર્ટ્સ તરફથી માસ્કની મોટી ડિમાન્ડ આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, અમે ડિમાન્ડ પુરી કરવા માટે ઉત્પાદન બેગણુ વધારી દીધું છે. ત્યારે ઓર્ડરની સંખ્યા વધારે હોવાથી અમે કામનાં કલાકો પણ વધારી દીધા છે.
કોરોના વાયરસના દર્દીનું એક અઠવાડિયામાં મોત નિપજે છે
કોરાના વાયરસ વિષાણુઓનો એક મોટો સમૂહ છે. તેની ઝપેટમાં આવનારા ઓને સર્દી- ખાંસી થાય છે. આ બાદ તેમણે શરીરની અંદર અંગોમાં સોજો આવી જાય છે. જેનાથી તેનું એક અઠવાડિયાની અંદર મોંત નિપજે છે. આ પહેલા વર્ષ 2002-2003માં ચીનમાં સાર્સ વાયરસનો કહેર ફેલાયો હતો. જેમાં ચીન અને હોંગકોંગમાં 650 લોકોનાં મોત નિપજ્યાં હતાં. હવે અહીં કોરોના વાયરસમાં લગભગ 170 લોકોનાં મોત થઈ ચુક્યાં છે. આ ઉપરાંત અનેક દેશોમાં તેના કેસ સામે આવી રહ્યાં છે.