લોકસભા બાદ હવે રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ પાસ થઇ ચૂક્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તમામ પાર્ટીઓ અને સાંસદોનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે તમામ પાર્ટીઓ અને સાંસદોને ધન્યવાદ પાઠવું છું જેમણે સંસદના બંન્ને સદનોમાં મુસ્લિમ મહિલાઓ વિધેયક-2019 પાસ કરાવવા માટે પોતાનું સમર્થન આપ્યું છે.
तीन तलाक बिल का पास होना महिला सशक्तिकरण की दिशा में एक बहुत बड़ा कदम है। तुष्टिकरण के नाम पर देश की करोड़ों माताओं-बहनों को उनके अधिकार से वंचित रखने का पाप किया गया। मुझे इस बात का गर्व है कि मुस्लिम महिलाओं को उनका हक देने का गौरव हमारी सरकार को प्राप्त हुआ है।
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ પગલું ભારતના ઇતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સમગ્ર દેશ માટે આજે એક ઐતિહાસિક દિવસ છે. આજે કરોડો મુસ્લિમ માતા-બહેનોની જીત થઇ છે અને સન્માનથી જીવવાનો હક મળ્યો છે. સદીઓથી ત્રિપલ તલાકની કુપ્રથાથી પીડિત મુસ્લિમ મહિલાઓને આજે ન્યાય મળ્યો છે. આ ઐતિહાસિક અવસર પર હું તમામ સાંસદોનો આભાર વ્યક્ત કરું છું.
An archaic and medieval practice has finally been confined to the dustbin of history!
Parliament abolishes Triple Talaq and corrects a historical wrong done to Muslim women. This is a victory of gender justice and will further equality in society.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ત્રિપલ તલાક બિલ પાસ થવું મહિલા સશક્તિકરની દિશામાં એક મોટું પગલું છે. તુષ્ટિકરણના નામ પર દેશની કરોડો માતાઓ-બહેનોને તેમના અધિકારથી વંચિત રાખવાનું પાપ કરવામાં આવ્યું છે. મને તે વાતનો ગર્વ છે કે, મુસ્લિમ મહિલાઓને તેમના હક આપવાનું ગૌરવ અમારી સરકારને પ્રાપ્ત થયું છે.
બિલના પક્ષમાં 99 અને વિપક્ષમાં 84 વોટ પડ્યા
રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ પાસ થયું. રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલના પક્ષમાં 99 અને વિપક્ષમાં 84 વોટ પડ્યા છે. મોટાભાગના સાંસદોએ પોતાનું સંશોધન પાછું લીધું છે અને હવે દિગ્વિજય સિંહે એક સંશોધન પર વોટિંગની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.
કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે બિલ પાસ કરવા માટે પ્રસ્તાવ મૂકી દીધો છે અને તેના પર વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જેડીયૂ અને એઆઇએડીએમકેના વોકઆઉટથી રાજ્યસભામાં સભ્યોની સંખ્યા 213 રહી ગઇ હતી. એવામાં બહુમત માટે 109 વોટ જોઇએ. જ્યારે બીજેડીએ ત્રિપલ તલાક બિલનું સમર્થન કર્યું.
ત્રણ તલાક બિન ઇસ્લામી અને બિન કાનૂની: નકવી
ત્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન બીજેપી સાંસદ મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આજે ઐતિહાસિક દિવસ છે કેમકે 33 વર્ષ બાદ આજે આ ગૃહમાં સામાજિક કુરિતીને ખતમ કરવા ચર્ચા કરવામાં આવી રહી છે. આ પહેલા ગૃહમાં શાહબાનો પર કોર્ટના નિર્ણયને નિષ્પ્રભાવી કરવાની ચર્ચા કરી હતી. નકવીએ કહ્યું કે આજે કુરીતિને ખતમ કરવાના નિર્ણયને પ્રભાવી બનાવવા માટે ચર્ચા થઇ રહી છે. નકવીએ શેર વાંચતા કહ્યું કે તુ દરિયામેં તૂફાન ક્યાં દેખતા હે, ખુદા હે નિગેહબાન ક્યાં દેખતા હે. તૂ હાકિમ બના હે તો ઇન્સાફ દેકર, તૂ હિન્દૂ-મુસલમાન ક્યાં દેખતા હે.
બિલ વિરુદ્ધ JDUનુ વોકઆઉટ
બિલ પર ચર્ચા દરમિયાન જેડીયૂ સાંસદ વશિષ્ઠ નારાયણ સિંહે કહ્યું કે એમની પાર્ટી ત્રિપલ તલાક બિલ સાથે નથી. એમણે કહ્યું કે દરેક પાર્ટીની એક વિચારધારા હોય છે અને તેના પાલન માટે તે સ્વતંત્ર છે. એમણે કહ્યું કે વિચારની યાત્રા ચાલતી રહે છે અને તેની ધારાઓ વહેંચાતી રહે છે પરંતુ ખતમ નથી થતી. બાદમાં રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલના વિરોધમાં જેડીયૂએ વોકઆઉટ કર્યું.