પશ્વિમ બંગાળમાં રેલી દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો નિલામીથી પ્રધાનમંત્રી પદ મળે છે તો કોંગ્રેસ અને ટીએમસીએ જે પૈસા એકત્રિત કર્યા છે એને લઇને નિલામીમાં પહોંચી જતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પશ્વિમ બંગાળના આસનસોલમાં એક રેલીને સંબોધિત કરતાં મમતા બેનર્જી પર જોરદાર પ્રહાર કર્યા. મોદીએ કહ્યું કે મુઠ્ઠી ભરીને સીટો પર ચૂંટણી લડીને મમતા બેનર્જી પ્રધાનમંત્રી બનવા ઇચ્છો છો. મોદીએ આગળ કહ્યું કે ઑક્શનથી પ્રધાનમંત્રીનું પદ મળતું હોત તો દીદી અને કોંગ્રેસે જે માલ એકત્રિત કર્યો છે, એ જ લઇને ઑક્શનમાં આવી જાત.
મોદીએ કહ્યું, 'સ્પીડ બ્રેકર દીદીનું મૉડલ તૉણમૂલ ટોળાબાજી ટેક્સ પર આધારિત છે. એનું મૉડલ કોલ, બાલૂ, આયરન અને જમીન માફિયા પર આધારિત છે.' એમનું મૉડલ છે કે પહેલા ઘૂંસણખોરીને આવવાનો રસ્તો આવો અને પછી બંગાળમાં સંસાધનોમાં એમને લૂટનો ભાગ આપો.' પીએમ મોદીએ એવું પણ કહ્યું કે ટીએમસીની આજે એવી સ્થિતિ થઇ ગઇ છે કે રેલીઓમાં લોકો આવી રહ્યા નથી તો વિદેશોથી ફિલ્મી કલાકાર બોલાવવા પડી રહ્યા છે.
ટીએમસી સરકાર અને મમતા બેનર્જી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા નરેન્દ્ર મોદીએ કહ્યું, 'આજે ટીએમસીની સરકાર ગોટાળાના વિષયમાં કોંગ્રેસને પૂરી ટક્કર આપી રહી છે. ભ્રષ્ટાચાર હોય કે ક્રાઇમ, આ બે એવી ચીજો છે, જે દરરોજ થઇ રહી છે. બાકી દરેક ચીજ માટે સ્પીડ બ્રેકર દીદી તો છે જ'