દેશમાં લોકસભાની ચૂંટણીનો રંગ ખરાખરીનો જામ્યો છે, ત્યારે તમામ પક્ષ એકબીજા પક્ષ પર કટાક્ષ કરવાનું ચુકતા નથી. જેવો મોકો મળે કે, તરત આક્ષેપ લગાવી દે છે. જ્યારે બિહારમાં જનાધાર વધારવાનો પ્રયાસ કરી રહેલા A.I.M.I.M.ના અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસીએ પીએમ મોદી અને બિહારના પૂર્વ સીએમ નીતિશકુમારની જોડીને લૈલા મજનૂ જેવી ગણાવતા વિવાદ ઉભો થયો છે.
બિહારમાં જનાધાર વધારવાનો પ્રયાસ કરી રહેલા A.I.M.I.M.ના અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસીએ પીએમ મોદી અને બિહારના પૂર્વ સીએમ નીતિશકુમાર પર વિવાદિત ટિપ્પણી કરી છે. તેઓએ કહ્યું કે, નીતીશકુમાર અને નરેન્દ્ર મોદીની આશિકી લૈલા મજનૂ જેવી છે.
જ્યારે પણ તેઓની આશિકીનો ઉલ્લેખ કરવામાં આવશે ત્યારે એમાં એવું પણ લખવામાં આવશે કે તેઓની આશિકી દરમિયાન હિન્દુસ્તાનમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે નફતર વધી. બિહારના કિશનગંજ વિસ્તારમાં અસદુદ્દીન ઔવેસીએ એક રેલી સંબોધન દરમિયાન આ વિવાદિત ટિપ્પણી કરી હતી.
તેઓએ રેલી સંબોધન દરમિયાન એવું પણ કહ્યું કે, તેઓ વચ્ચે મજબૂત આશિકી છે.. લૈલા મજનૂથી પણ વધુ પ્રેમ તેઓ વચ્ચે છે. મને ના પૂછતા કે આમાંથી લૈલા કોણ અને મજનૂ કોણ. આ તમારે જ જાતે નક્કી કરવાનું છે. ઉલ્લેખનીય છે કે, બિહારના કિશનગંજ, પૂર્ણિયા અને કટિહાર જેવી સીમાંચલ બેઠકો પર 18મી એપ્રિલના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે..