પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ ભડકેલી હિંસા શાંત થયા બાદ બીજા એક સમાચાર આવી રહ્યા છે
શારદા ચિટ-ફંડ કૌભાંડના સંદર્ભે પાડયા દરોડા
રાજ્યપાલ જગદીપ ઘનખડે એ CBI કેસ ચલાવવા માટેની પરવાનગી આપી
CM મમતા હાલ કોરોનાના મહામારીથી ઉગારવા માટે કરી રહ્યા છે પ્રયત્નો
શારદા ચિટ-ફંડ કૌભાંડના સંદર્ભે પાડયા દરોડા
પશ્ચિમ બંગાળમાં CM મમતા બેનર્જી સરકારના મંત્રી ફિરહાદ હાકિમ સમેત ઘણા મંત્રીઓના ઘરે CBIએ દરોડા પાડયા છે. આ દરોડા શારદા ચિટ-ફંડ કૌભાંડના સંદર્ભે પાડયા છે. અને સૂત્રોના જણાવ્યા મુજબ ફિરહાદ હાકિમની સાથે સાથે સુબ્રત મુખર્જી, તૃણમૂલ કોંગ્રેસના વિધાયક મદન મિત્રા અને પૂર્વ મેયર સોવન ચેટરજીને પણ CBI ઓફિસે લઈ જવામાં આવ્યા હતા.
રાજ્યપાલ જગદીપ ઘનખડે એ CBI કેસ ચલાવવા માટેની પરવાનગી આપી
તમને જણાવી દઈએ કે 9 મે ના રોજ રાજ્યપાલ જગદીપ ઘનખડે TMC ના આ ચાર નેતાઓ વિરુધ્ધ CBI કેસ ચલાવવા માટેની પરવાનગી આપી હતી. પશ્ચિમ બંગાળમાં છેલ્લા ઘણા વર્ષોથી શારદા સ્કેમ અને નારદા સ્કેમ સતત ચાલી રહ્યા છે. અને આ કેસની તપાસ CBI ઘણા વખતથી કરી રહી છે. ઘણા બધા નેતાઓના નામ આ કૌભાંડમાં સામેલ છે. અને હવે આ કેસ આગળ વધારવા માટે રાજ્યપાલની મંજૂરી લેવામાં આવી હતી.
CM મમતા હાલ કોરોનાના મહામારીથી ઉગારવા માટે કરી રહ્યા છે પ્રયત્નો
પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં મમતા બેનરજીએ જણાવ્યું કે સરકારે આંતરરાષ્ટ્રીય વેક્સિન નિર્માતાઓ પાસેથી વેક્સિન ખરીદવી જોઈએ. તેમણે લખ્યું કે બંગાળની 10 કરોડ અને દેશની 140 કરોડ વસતીને વેક્સિનની જરુર છે. પરંતુ હાલના સમયે તો ખૂબ ઓછા લોકોને રસી અપાઈ છે. તેથી વિદેશની રસી મંગાવવી જોઈઓએ. તેને માટે વૈજ્ઞાનિકો અને એક્સપર્ટની પણ સલાહ લેવી જોઈએ.