ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પોતાને થયેલી ઈજાને મમતા બેનરજી ષડયંત્ર ગણાવી રહ્યાં છે પરંતુ ચૂંટણી પંચ તેને દુર્ઘટના જાહેર કરી ચૂક્યુ છે.
બંગાળમાં ચૂંટણી પ્રચાર જામ્યો
અમિત શાહ અને મમતા બેનરજીએ સંબોધી રેલી
મમતાની પગની ઈજા પર પહેલી વાર અમિત શાહે આપ્યું નિવેદન
મમતાને પગની પડી છે પણ 130 કાર્યકરોના મોતનો કોઈ ગમ નથી-અમિત શાહ
બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા અમિત શાહે મમતા બેનરજી પરના કથિત હુમલા પર પ્રથમ વાર બોલતા કહ્યું કે મમતાજી તમારા પગમાં ઈજા થઈ છે. ઈજા કેવી રીતે થઈ તેની કોઈને ખબર નથી. ટીએમસી તેને ષડયંત્ર ગણાવી રહી છે પરંતુ ચૂંટણી પંચે કહી ચૂક્યું છે કે તે એક દુર્ઘટના હતી. દીદી, તમે વ્હીલચેરમાં ફરી રહ્યાં છો, તમને તમારા પગની પડી છે જે 130 કાર્યકરો મોત થયા છે તેમની માતાની પીડાનું તમને કોઈ ભાન છે.
Mamata Ji has a leg injury, it's not known how she got it. TMC calls it a conspiracy, but EC says it was an accident. Didi, you're roaming around in a wheelchair, concerned about your leg, but not the pain of mothers of my 130 workers who were killed: HM in Ranibandh, West Bengal pic.twitter.com/uV6naRVRgz
બંગાળના બાંકૂરા ખાતેની એક રેલીને સંબોધિત કરતા મમતાએ કહ્યું કે મમતા બેનરજી ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરુ છું પરંતુ મારા જે કાર્યકરો હિંસામાં માર્યા ગયા છે તેનો પણ વિચાર કર્યો હોત તો વધારે સારુ રહેતે.
મારુ હેલિકોપ્ટર પણ બગડ્યું, છતાં મેં ષડયંત્ર ન ગણાવ્યું
અમિત શાહે જણાવ્યું કે મારા હેલિકોપ્ટર પણ બગડ્યું હતું તેમ છતાં મેં તેને ષડયંત્ર ગણાવ્યું નહોતું. મમતા પર નિશાન સાધતા શાહે કહ્યું કે મારા હેલિકોપ્ટરમાં થોડી ખામી સર્જાવાને કારણે આજે હું થોડો મોડો પડ્યો છે પરંતુ મેં તેને ષડયંત્ર ગણાવ્યુંનથી. ચૂંટણી પંચ પણ નંદીગ્રામ ઘટનાને દુર્ઘટના જાહેર કરી ચૂક્યું છે. મમતા પર કોઈ હુમલો થયો નથી, તેમને પગમાં ઈજા પહોંચી હતી, ઈજાનું કારણ કોઈને ખબર નથી.
#WATCH | West Bengal CM Mamata Banerjee raises slogans in Purulia says," Chaie na BJP ke chaie na, chaie na Congress ke chaie na, CPM ke chaie na. BJP ke bidai dao...Khela hobe, dekha hobe, jeeta hobe." #WestBengalElectionpic.twitter.com/XdYsv0VxG0
મારા દુખ કરતા લોકોનું દુખ મોટું-મમતાનો અમિત શાહને જવાબ
પુરુલિયામાં જનસભાને સંબોધિત કરતા મમતાએ બેનરજીને અમિત શાહને જવાબ આપતા કહ્યું કે એક ઘટનામાં મને ઈજા પહોંચી છે અને કેટલાક લોકોએ તો વિચારી પણ લીધું હતું કે મારો પગ હવે સાજો નહીં થાય અને હું પ્રચાર નહીં કરુ શકું. મમતાએ કહ્યું કે મારુ નસીબ સારુ રહ્યું કે હું બચી ગઈ. આજે મારા પગમાં પ્લાસ્ટર લાગેલું છે હું ચાલી પણ શકતી નથી પરંતુ મારા દુખ કરતા લોકોનું દુખ મોટું છે.
West Bengal CM Mamata Banerjee to address a public meeting in Purulia shortly. pic.twitter.com/XXcwkjKLbe