સમગ્ર દુનિયામાં વસ્તી વધારો એક વૈશ્વિક સમસ્યા છે. ભારત માટે તો વધારે ચિંતાનો વિષય છે, કારણ કે દેશમાં કુદકેને ભુસકે વસ્તી વધતી જાય છે. ત્યારે હવે આ મુદ્દાને લઈને રાજકારણ પણ થવા લાગ્યું છે.
વિશ્વ વસ્તી દિવસ પર ભારતની વસ્તી દેશ માટે ચિંતાનો વિષય
વસ્તી વધારાને લઈને ભાજપના બે દિગ્ગજ નેતા આમને-સામને
યોગી આદિત્યનાથ અને મુખ્તાર અબ્બાસ નકવીએ કહી આ વાત
UPના સીએમ યોગી આદિત્યનાથે વિશ્વ વસ્તી દિવસ પર વધતી વસ્તીને લઈને આપેલા નિવેદનથી ઉહાપોહ મચ્યો છે. આ તમામની વચ્ચે ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીનું નિવેદન સામે આવ્યું છે. મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, વસ્તી વિસ્ફોટને ધર્મ સાથે જોડવું યોગ્ય નથી, આ આખા દેશની સમસ્યા છે.
મુખ્તાર અબ્બસા નકવીએ કહી આ વાત
મુખ્તાર અબ્બાસ નકવીએ ટ્વીટ કરીને કહ્યું કે, અતિશય વસ્તી વિસ્ફઓટ કોઈ ધર્મની નહીં, પણ દેશની સમસ્યા છે. તેને જાતિ અને ધર્મ સાથે જોડવું યોગ્ય નથી. નકવીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે તેમને હાલમાં જ કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું દીધું છે. તેમનો રાજ્યસભાનો કાર્યકાળ ખતમ થઈ ચુક્યો છે. જો કે, ચર્ચા એવી છે કે, ભાજપ તેમને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી શકે છે.
યોગીએ આ તર્ક આપ્યો
આ અગાઉ યોગા આદિત્યનાથે વિશ્વ વસ્તી દિવસ પર લખનઉમાં એક કાર્યક્રમમાં યુપીમાં વધતી વસ્તીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વસ્તી નિયંત્રણના કાર્યક્રમ સફળતાપૂર્વક આગળ વધે, પણ આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે, જનસંખ્યાનું અસંતુલન ઊભુ ન થાય. તેમણે કહ્યુ કે, એવું ન થાય કે કોઈ વર્ગની વસ્તી સ્પિડમાં વધે અને તેમની ટકાવારી વધી જાય અને જે મૂળ નિવાસી છે, જાગૃતિ અભિયાન ચલાવીને વસ્તી નિયંત્રણ કરીને અસંતુલન ઊભું કરી દેવામા આવે.
સીએમ યોગીએ કહ્યું કે,જે દેશની જનસંખ્યા વધારે હોય છે, ત્યાં વસ્તી અસંતુલન ચિંતાનો વિષય છે, કારણ કે રિલીજિયસ ડેમોગ્રાફી પર પણ તેની અસર પડે છે. એક સમય બાદ ત્યાં અવ્યવસ્થા અને અરાજકતા જન્મ લેવા લાગે છે. એટલા માટે જનસંખ્યા સ્થિરીકરણના પ્રયાસો જાતિ, ધર્મ, ક્ષેત્ર, ભાષાથી ઉપર ઉઠીને સમાજમાં સમાન રીતે જાગૃતિ અભિયાન વ્યાપક ધોરણે ચાલુ કરવાની જરૂર છે.