ત્રણ બાળકો સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યા બાદ ત્રણેયના મોત, છેલ્લા ત્રણ મહિનાથી વતનમાં ગયેલા પતિની પાછળ એક માતાએ ભર્યું આવું પગલું, જામનગરના ધ્રોલ પાસે મોરારદાસ ખંભાળિયા ગામની ઘટના
શ્રમિક મહિલાએ બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું
જામનગરના ખંભાલીડા ગામની ઘટના
ઘટનામાં મહિલાનો બચાવ, ત્રણેય બાળકના મૃત્યુ
જામનગર જિલ્લાના મોરારદાસ ખંભાળિયામાં એક માતાએ પોતાના ત્રણ બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યા બાદ ત્રણેયના મોત થયા છે. ત્રણ બાળકો સાથે આપઘાતની આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચારી મચી છે. જો કે, ત્રણેય બાળકોના મોતની સાથે માતાનો બચાવ થયો છે. છેલ્લા ત્રણ મહિનાથી વતનમાં ગયેલા પતિની પાછળ એક માતાએ આવું પગલું કેમ ભર્યું તેને લઈ સૌ કોઈ ચર્ચા કરી રહ્યું છે. સમગ્ર ઘટના જામનગરના ધ્રોલ પાસે મોરારદાસ ખંભાળિયા ગામની છે.
જે ત્રણેય બાળકોના મોત થયા તેમાં મોટી દીકરી રિયાની ઉંમર માત્ર 4 વર્ષની હતી. તો બીજી દીકરી માધુરી પણ માત્ર અઢી વર્ષની હતી અને સૌથી નાના પુત્રનું નામ કનેશ હતું. જે માત્ર 8 મહિનાનો હતો. આ ત્રણેય માસૂમમાંથી કોઈપણ 5 વર્ષનું પણ નહોતું. અને એક માતાએ પોતાના ત્રણેય બાળકોને મોતના મૂખમાં ધકેલી દીધા છે. ત્રણેય બાળકોને કૂવામાંથી બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવાઈ હતી. સમગ્ર ગામ એકઠું થયું હતું. બાળકોના મૃતદેહ જોઈને સૌ કોઈનું હ્રદય હચમચી ગયું હતું.