કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં પણ શહીદ થનાર ગૃપ કેપ્ટન વરૂણ સિંહનો પાર્થિવ શરીર ભોપાલ લાવવામાં આવ્યો છે.જ્યાં તેમને શ્રદ્ધાંજલી આપવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં
આ પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગૃપ કેપ્ટન વરુણ સિંહના પરિવારજનોને 1 કરોડ રૂપિયાનું સન્માન નિધિ આપવાની જાહેરાત કરી છે.આ સાથે પરિવારજનોને જોડે વાત ચીત કરી ઘરના કોઈ એક સદસ્યને સરકારી નોકરી પણ આપવાની વાત કહી હતી.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પરિવારની ભાવના ધ્યાનમાં રાખીને વરુણસિંહની સ્મૃતિમાં પ્રતિમા અથવા કોઈ સંસ્થાનું નામ તેમના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે.
શુક્રવારે ભોપાલમાં થશે તેમનો અંતિમ સંસ્કાર
ભોપાલના કલેકટર અવિનાશ લાવણ્યાએ જણાવ્યું હતું કે, શુક્રવારે ભોપાલમાં શહીદ થયેલા ગૃપ કેપ્ટન વરુણસિંહનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 16 ડિસેમ્બરે પાર્થિવ શરીરને ભોપાલ લાવ્યા બાદ એરપોર્ટ રોડ સ્થિત સિટી કોલોનીમાં શ્રદ્ધાંજલી કાર્યક્રમ રાખવામાં આવશે . ત્યાર બાદ 17 ડિસેમ્બરની સવારે 11 કલાકે ભદભદા વિશ્રામ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
Mortal remains of Group Captain Varun Singh, who passed away yesterday, December 15, reach Bhopal Airport.
બુધવારે બેગ્લોરમાં સૈનિક હોસ્પિટલમાં તેમની મોત નીપજ્યું હતું.
8 ડિસેમ્બરે તમિલનાડુના કુન્નૂરમાં ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં એક માત્ર જીવીત બચેલા વરુણસિંહનું બુધવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બેંગ્લોરના સૈન્ય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ જનરલ વિપિન સિંહ રાવત અને તેમની પત્ની સહિત 13 અધિકારી શહીદ થઈ ગયાં હતાં. વરુણ મૂળ રૂપથી યૂપીના દેવરિયા જિલ્લાના ખોરમા કન્હોલી ગામના રહેવાસી હતાં. હાલ વરુણ સિંહના પિતા રિટાર્યડ કર્નલ કે.પી સિંહ ભોપાલના એરપોર્ટ રોડ સ્થિત સન સિટી કોલોનીમાં રહે છે.
હેલિકોપ્ટર દુર્ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
કુન્નૂર હેલિકોપ્ટર ક્રેશની વાત કરીએતો તે હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની અને ઘણાં બીજા સિનિયર ઓફિસરો હાજર હતાં આ દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવત તેમના પરિવારના સદસ્ય સહિત 14 લોકો સવાર હતાં. જેમાં 13 લોકોના મૃત્યુ થઈ ગયાં એકલા ગૃપ કેપ્ટન વરુણ સિંહ બચવા પામ્યા હતાં. પરંતુ બુધવારે તેમનું પણ નિધન થઈ ગયું હતું. જેને લઈને હવે આ દુર્ઘટનામાં 14 લોકોએ પોતાની જીવ ગુમાવ્યો હતો.