PM મોદીએ નામીબિયા દેશનો આભાર માન્યો છે અને સાથે જ કહ્યું છે કે દેશવાસીઓએ ચિત્તાઓને જોવા માટે રાહ જોવી પડશે.
ચિત્તાઓને જોવા માટે રાહ જોવી પડશે : PM મોદી
8 ચિત્તાને મધ્યપ્રદેશના ગ્વાલિયર લાવવામાં આવ્યા
લગભગ 70 વર્ષ બાદ ભારતમાં ચિત્તા જોવા મળશે
ચિત્તાઓ નેશનલ પાર્કમાં છોડ્યા બાદ PM મોદીનો સંદેશ
PM મોદીએ નામીબિયા દેશનો આભાર માન્યો છે. તેઓ કહે છે કે 1947 જ્યારે દેશમાં માત્ર 3 જ ચિત્તા બચ્યા હતા, ત્યારે પણ તેમનો શિકાર કરવામાં આવ્યો, ચિત્તાઑના પુનર્વાસ માટે દાયકાઓ સુધી કોઈ પ્રયાસ ન થયા. મને આનંદ છે કે આઝાદીના અમૃત કાળમાં કર્તવ્ય અને વિશ્વાસનો અમૃત, આપણી વિરાસત અને ધરોહર તથા ચિત્તાઑને ભારતની ધરતી પર પુનર્જીવિત કરી રહ્યો છે. ચિત્તાઓને જોવા માટે દેશવાસીઓએ થોડી ધીરજ રાખવી પડશે, ચિત્તા હજુ મહેમાન છે અને આ જગ્યાથી અજાણ છે, તે ભારતને પોતાનું ઘર બનાવે તેની રાહ જોવી પડશે. આગળ તેઓ કહે છે કે આપણી સંસ્કૃતિ તો એવી છે કે આસપાસના જીવ અને જંતુનું ધ્યાન રાખવું જોઈએ, આપણે તો જમવા બેસીએ તો એની પહેલા પણ કોઈ પશુ માટે ભોજન આપી દઈએ છીએ. આજે ગુજરાત એશિયાટીક સિંહ માટે ખૂબ મોટું ક્ષેત્ર બની ગયું છે, તેની પાછળ દાયકાઓની મહેનત છે. એક સમયે આસામમાં એકશિંગી ગેંડાની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ હતી પણ હવે વધી રહી છે અને ટાઈગરની સંખ્યા ડબલ કરવાનો લક્ષ્ય પણ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે
8 ચિત્તાને મધ્યપ્રદેશના ગ્વાલિયર લાવવામાં આવ્યા
નામીબિયાથી ખાસ વિમાન મારફતે 8 ચિત્તાને મધ્યપ્રદેશના ગ્વાલિયર લાવવામાં આવ્યા છે. જેમાં 5 માદા અને 3 નર ચિત્તા સામેલ છે. વિશેષ વિમાનમાં ભારત સરકાર તરફથી વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ, અધિકારીઓ, નામીબિયા ખાતેના ભારતના રાજદૂત તેમજ ચિત્તા એક્સપર્ટની ટીમ સાથે રહી હતી. ગ્લાલિયર એરપોર્ટ પર વિમાન લેન્ડ થયા જ્યાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત હતા, જે બાદ ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે તમામ ચિત્તાને કુનો નેશનલ પાર્ક લાવવામાં આવ્યા હતા.
મધ્યપ્રદેશનો ચંબલ વિસ્તાર
એક સમયે ડાકુઓના ગઢ તરીકે ઓળખાતું ચંબલ આજકાલ ફરી એકવાર ચર્ચામાં છે... અને તેનું કારણ છે ચિત્તા. વાત એમ છે કે ઓપરેશન ચિત્તા હેઠળ આફ્રિકા ખંડમાંથી 8 ચિત્તા લાવવામાં આવી રહ્યા છે. જેને શનિવારે કુનો નેશનલ પાર્કમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે છોડવામાં આવશે.
લગભગ 70 વર્ષ બાદ ભારતમાં ચિત્તા જોવા મળશે
જંગલનો સૌથી સ્ફૂર્તિલો શિકારી... ઝડપનો રાજા ગણાતા ચિત્તાને ભારત લાવવા માટે નામ્બિયાની સરકાર સાથે એક કરાર થયા છે... આ જ કરાર અંતર્ગત 70 વર્ષ બાદ ભારતમાં ફરી એકવાર ચિત્તા જોવા મળશે. 70 વર્ષ પહેલા 1952માં સત્તાવાર રીતે ચિત્તાને ભારતમાંથી વિલુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. અને ત્યારથી વિશ્વના એક મોટા ભૂમિભાગ પર ચિત્તા જોવા ન મળ્યા. પરંતુ હવે સાત સાત દાયકાના લાંબા સમયગાળા બાદ ભારતની ભૂમિ પર ફરી એ જ રફ્તાર, એવી જ લાંબી છલાંગ, અને મજબૂત પંજાથી પ્રહાર કરતો ચિત્તો જોવા મળશે.