મોદી સરકારમાં કેન્દ્રીય પશુપાલન રાજ્યમંત્રી પ્રતાપચંદ્ર સારંગીનું કહેવુ છે કે, ''GST અને નોટબંધીને કારણે મંદી આવી છે''
પ્રતાપચંદ્ર સારંગી અનુસાર, ''GST અને નોટબંધીને કારણે મંદી આવી છે અને ટૂંક સમયમાં આ સ્થિતિમાં બદલાવ આવશે.'' આ નિવેદન પ્રતાપચંદ્ર સાંરગી મધ્યપ્રદેશના સીહોર જિલ્લામાં ઇછાવરમાં આપ્યુ. કેન્દ્રીય મંત્રી ખાદી અને ગ્રામોદ્યોગ આયોગમાં શનિવારે નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. મીડિયાની સાથે વાતચીત કરતા સમયે તેમણે આ વાતનો સ્વીકાર કર્યો કે, ''મંદીમાં જલ્દીથી બદલાવ આવશે.''
કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે, ''કોઇ પણ કંપની અને ઉદ્યોગના કર્મચારીઓની રોજગારીની નહી થાય. સવાર થતા પહેલા રાત્રે અંધારૂ હોય છે. મંદીના ઉદ્યોગથી ઘંધા પર કોઇ ખાસ ફરક નહી પડે, તેનું નિરાકરણ લાવવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે.'' આ દરમિયાન તેણે ગાય અને રામ રાજનીતિ પર ટિપ્પણી પણ આપી.
ગૌશાળા બનાવવા માટે MP સરકારની કરશે મદદ:
પ્રતાપચંદ્ર સારંગીએ કહ્યુ કે, ગાય અને રામ રાજનીતિ નહી પરંતુ રાષ્ટ્રીય ગૌરવની વાત છે. ગાયને કોઇ ધર્મની સાથે ના જોડવી જોઇએ. મધ્યપ્રદેશ સરકારે 1000 ગૌશાળા બનાવવાનો સંકલ્પ કર્યો છે જે સારી વાત છે. આ કામમાં સરકાર મદદ કરશે.
રામ અને ગાય પર ના થવી જોઇએ રાજનીતિ:
કેન્દ્રીય મંત્રીના બોલ્યા પહેલા મધ્યપ્રદેશ સરકારના પશુપાલન મંત્રી લાખન સિંહ યાદવે કહ્યુ કે, ભાજપે 15 વર્ષ પ્રદેશમાં શાસમ કર્યુ. પરંતુ ગાય અને રામના નામ પર રાજનીતિ કરનારી ભાજપ સરકારે ગાયો માટે કંઇ નથી કર્યુ. તેમણે પ્રતાપચંદ્ર સારંગીને કહ્યુ કે, ''તમે તેણે અલગ રીતે ના લો કેમકે તમે અલગ પ્રકારના નેતા છો. તમારી સાદગી અમારા જેવા નેતાઓ માટે મિસાલ છે.'' આ પછી કેન્દ્રીય મંત્રી મધ્યપ્રદેશ સરકારના પશુપાલન મંત્રી લાખન સિંહને રામ અને ગાયના નામ પર રાજનીતિ ના કરવા માટે કહ્યુ.