કોરોનાની બીજી લહેરને નાથવા માટે મોદી સરકારે સામાન્ય માણસને 'લોક' કરવાના બદલે તેના હિતમાં 48 કલાકમાં 5 મોટા નિર્ણયો લીધા છે જેથી કોરોના સામે લડી શકાશે.
કોરોના સામે મોદી સરકાર એક્શનમાં
મોદી સરકારે સામાન્ય માણસને 'લોક' નહીં કરે
48 કલાકમાં લીધા 5 મોટા નિર્ણયો
દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને બીજી લહેર તેનો પ્રકોપ વર્તાવી રહી છે ત્યારે દેશમાં રોજ 2.50 લાખથી પણ વધુ કેસ આવી રહ્યા છે. કોરોનાની બગડતી સ્થિતિને કાબૂમાં લેવાની શક્ય તમામ કોશિશ કરાઈ રહી છે. દિલ્હી અને રાજસ્થાનમાં સંક્રમણ વધતા લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. છત્તીસ ગઢ, મહારાષ્ટ્ર, યૂપીમાં કેટલાક શહેરોમાં લોકડાઉન જોવા મળી રહ્યું છે. ક્યાંક વીકેન્ડ કર્ફ્યૂ તો ક્યાંક નાઈટ કર્ફ્યૂની સ્થિતિ પણ છે. મોદી સરકાર પર કોરોનાની બીજી લહેરને નાથવા એક્શન મોડમાં છે. તેઓ સતત 2 દિવસથી બેઠકો કરી રહ્યા છે અને 48 કલાકમાં 5 મોટા નિર્ણયો લીધા છે.
1. 1મે થી 18 વર્ષથી ઉપરના લોકોને મળશે વેક્સીનેશનની સુવિધા
સોમવારે કેન્દ્રની મોદી સરકારે જાહેરાત કરી છે કે 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે વેક્સીનેશન શરૂ કરાશે. વિપક્ષી દળોએ પણ કેન્દ્ર સરકાર પાસે આ નિર્ણયની માંગણી કરી હતી. પીએમ મોદીએ ડોકટર અને દવા કંપની સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો છે.
भारत सरकार ने 1 मई से COVID-19 टीकाकरण के तीसरे चरण के रणनीति की घोषणा की। 18 वर्ष से अधिक आयु के सभी लोग टीका लगवा सकते हैं।
2. ઓક્સીજનના ઔદ્યોગિક ઉપયોગ પર પાબંધી
કોરોના સંક્રમણના કેસને લઈને અનેક રાજ્યોમાંથી ઓક્સીજનની અછતના સમાચાર આવી રહ્યા છે. દર્દીને મુશ્કેલી ન પડે તે માટે કેન્દ્ર સરકારે ઓક્સીજનની આયાત વધારી છે. સરકારે ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગની અધ્યક્ષતામાં દેશમાં મેડિકલ ઓક્સીજન સહિત ચિકિત્સા ઉપકરણો અને દવાની આયાતની જવાબદારી સોંપી છે. આ સિવાય મોદી સરકારે 22 એપ્રિલથી આવનારા આદેશ સુધી ઔદ્યોગિક ઉપયોગ માટે ઓક્સીજનની આયાત પર પાબંધી લગાવી છે.
3. રેમડેસિવીરની કિમતમાં ઘટાડો અને ઉત્પાદનમાં વધારો
કોરોના દર્દીની સારવારમાં ઉપયોગમાં લેવાતી રેમડેસિવિર ઈન્જેક્શનની કિંમતમાં સરકારે 2 દિવસ પહેલા ઘટાડો કર્યો છે. સંક્રમણના સમયમાં વધતા કેસને લઈને ઈન્જેક્શનની માંગ વધી છે. દેશના અનેક ભાગમાં તેની ઉપલબ્ધતા ન હોવાના સમાચાર આવી રહ્યા છે. આ સમયે કેન્દ્ર સરકારે માંગ વધતા ઉત્પાદન વધારવાના આદેશ આપ્યા છે. પહેલા કરતા હવે ઉત્પાદન વધ્યું છે અને તેને પહોંચાડવામાં પણ આવી રહ્યા છે.
4. રેલ્વેના ઓક્સીજન એક્સપ્રેસ ચલાવવાનો નિર્ણય
દેશના અનેક અલગ અલગ ભાગમાં દર્દીને સમયસર ઓક્સીજન મળી શકે તે માટે કેન્દ્ર સરકારે વ્યવસ્થા કરી છે. રેલ્વે મંત્રાલય લિક્વિડ મેડિકલ ઓક્સીજન અને ઓક્સીજન સિલિન્ડરને દેશના અઅલગ અલગ ભાગમાં સપ્લાય કરવા માટે ઓક્સીજન એક્સપ્રેસ ચલાવી રહ્યું છે. બાધારહિત સુવિધા માટે આ ટ્રેનના આવન જાવન માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરાઈ રહી છે.
5. અસ્થાયી હોસ્પિટલોની વ્યવસ્થા
કોરનાના કેસ વધવાના કારણે તેની અસર ભારતની હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ થઈ રહી છે. હોસ્પિટલમાં બેડ ખાલી નથી. દર્દીને અનેક દિવસો સુધી રાહ જોયા બાદ હોસ્પિટલમાં જગ્યા મળી રહી છે અને સાથે સમય સર સારવાર મળી રહી નથી. જેના કારણે પણ દર્દીઓના જીવ જઈ રહ્યા છે. કોરોનાની સ્થિતિને જોતાં કેન્દ્રની સાથે રાજ્ય સરકારે અસ્થાયી હોસ્પિટલ બનાવવાની શરૂઆત કરી છે જેથી દર્દીને સારવાર મળી શકે. દિલ્હીમાં કેંટ અને લખનઉમાં ડીઆરડીઓ અને છતરપુરમાં સેનાએ પોતાની વ્યવસ્થા શરૂ કરી છે. રેલ્વેના કોચ પણ દર્દીઓ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.