આર્થિક મંદીના વાદળો ઘેરાયા છે ત્યારે સરકાર દ્વારા આ મંદીને નિવારવાના પગલા હાથ ધરવામાં આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ઉપાય સંસ્થાઓ અને કંપની સંબંધિત છે, જેવી રીતે વિદેશ રોકાણ માટે નિયમો બદલાયા તથા 10 સરકારી બેંકોનું 4 માં વિલીનીકરણ થયું.
અર્થશાસ્ત્રીઓ વ્યક્તિગત વપરાશ અને માંગમાં મોટા ઘટાડા વિશે સાવચેત કરી રહ્યા છે અને ગ્રાહકની ભાવનામાં સુધારો લાવવા દબાણ કરી રહ્યા છે, કારણ કે ગ્રાહકોની માનસિકતા નકારાત્મક હોય ત્યારે ઓછો ખર્ચ હોય કરે છે. ત્યારે સરકાર કેટલાક એવા નિર્ણયોની જાહેરાત કરી શકે છે જેની અસર સીધી જ તમારા ખિસ્સા પર થશે.
ગત સપ્તાહે જાહેર થયેલ GDP આંકડાએ પણ જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2019-20 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વ્યક્તિગત વપરાશ પર ખર્ચ જે અર્થ વ્યવસ્થામાં માંગને દર્શાવે છે કે ફક્ત 3.14% ની વૃદ્ધિ પામ્યો છે. જે 17 ત્રિમાસિક ગાળામાં સૌથી નીચા સ્તરે રહ્યો.
હવે તમારો વારો
નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે કહ્યું કે, સરકાર આગામી GST કાઉન્સીલ બેઠકમાં ઓટોમોબાઇલ્સ માટે GST ના ઘટાડા પર પ્રસ્તાવ રાખી શકે છે, તેનાથી ઓછી માગના કારણે સુસ્તીનો સામનો કરી રહેલા ઓટો સેક્ટરને રાહત મળશે. એનો અર્થ છે કે, તહેવારની સીઝન પહેલા ગાડીઓ સસ્તી થઇ જશે.
પૈસાની અનુભવાય છે અછત
વપરાશમાં મંદીએ પણ જીએસટી સંગ્રહમાં ઘટાડા દ્વારા દર્શાવવામાં આવી છે. જીએસટીનો કુલ સંગ્રહ જુલાઈમાં 1.02 લાખ કરોડ રૂપિયાથી ઘટીને ઓગસ્ટમાં 98,202 કરોડ થયો છે. સરકારે જીએસટી સંગ્રહનો અંદાજ બજેટમાં 7.6 લાખ કરોડથી ઘટાડીને 6.63 લાખ કરોડ કરી દીધો હતો.
ખરાબ નીતિ જવાબદાર
છ વર્ષમાં જીડીપીના સૌથી નીચલા સ્તરના અહેવાલના રિપોર્ટ પછી, પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે સુસ્તી માટે સરકારની નીતિઓને દોષી ઠેરવી હતી. તેમણે કહ્યું, 'ઘરેલું માંગ ઓછી છે અને વપરાશમાં વૃદ્ધિ 18 મહિનાની નીચી સપાટીએ છે. નોમિનલ જીડીપી વૃદ્ધિ 15 વર્ષના તળિયે છે.