કેન્દ્રીય ઉપભોક્તા કેસ ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે (NFSA)ના લાભાર્થીઓને પોષક તત્વો યુક્ત ચોખા મળે તે માટે સરકારે 15 રાજ્યોને દરેક જિલ્લામાં રાઈસ ફોર્ટિફેકેશનની પાયલટ યોજના શરૂ કરી છે. તેના આધારે મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાક ખાસ જિલ્લામાં પૌષ્ટિક ચોખાનું વિતરણ શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના આધારે દેશના લગભગ 81 કરોડ રાશન કાર્ડ ધારકોને સસ્તુ અનાજ આપવામાં આવે છે.
મોદી સરકારે શરૂ કરી નવી સ્કીમ
15 રાજ્યોમાં રાશનધારકોને મળશે ફાયદો
15 રાજ્યોમાં દરેક જિલ્લામાં શરૂ થશે આ સ્કીમ
પૌષ્ટિક ચોખા વિતરણનું કામ ઓરિસ્સા અને ઉત્તરપ્રદેશમાં ઝડપથી શરૂ થશે. અન્ય રાજ્યોને પણ જલ્દી તેનું વિતરણ શરૂ કરવા કહેવામાં આવ્યું છે. આયર્ન, ફોલિક એસિડ અને વિટામીન બી 12 યુક્ત પૌષ્ટિક ચોખાથી કુપોષણ અને લોહીની ખામીને દૂર કરી શકાય છે.
આખા દેશમાં 4 મહિનાનું અનાજ મોકલવાના ઓર્ડર
પાસવાને ભારતીય ખાદ્ય નિગમને સરકારી સ્કીમ્સના આધારે અનાજની જરૂરિયાતોને પૂરી કરવા માટે 4 મહિનાનું અનાજ દેશના દરેક ખૂણે પહોંચાડવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રીએ વરસાદમાં ટ્રાન્સપોર્ટને લઈને ઊભી થતી સમસ્યાને જોતાં એફસીઆઈને આ આદેશ આપ્યો છે.
पौष्टिक चावल वितरण का काम ओडिशा और उत्तरप्रदेश में बहुत जल्द शुरू जाएगा। अन्य राज्यों को भी जल्द से जल्द इसे शुरू करने के लिए कहा गया है।आयरन, फोलिक एसिड और विटामिन बी12 युक्त पौष्टिक चावल से कुपोषण और खून की कमी को दूर किया जा सकता है 2/2 @narendramodi@smritiirani
પાસવાને ટ્વિટ કરીને કહ્યું કે વરસાદની સીઝન શરૂ થઈ છે. તેને જોતાં ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગ અને એફસીઆઈને આદેશ આપ્યા છે કે દેશના દરેક ખૂણા સુધી આવનારા 4 મહિનાનું પૂરતું અનાજ મિશન મોડમાં જલ્દી પહોંચાડવામાં આવે જેથી વરસાદમાં અનાજની અછત ન સર્જાય.
રવિ સીઝન 2020-21 માટે નિર્ધારિત ખરીદી લક્ષ્યાંક હેઠળ ખેડૂતો પાસેથી ઘઉં અને ડાંગરની ખરીદી ચાલુ છે. 13 જૂન સુધી એફસીઆઈ ઘઉં 378.40 એલએમટી ઘઉં ખરીદી રહી છે. રવિ સીઝનમાં 116.24 એલએમટીની ખરીદી સાથે, વર્ષ 2019-20ની સીઝનમાં અત્યાર સુધીમાં કુલ 735.81 એલએમટી ડાંગરની ખરીદી કરવામાં આવી છે.
PMGKAY ના આધારે FCI દ્વારા અનાજ ટ્રાન્સપોર્ટ કરાયું
14 જૂન સુધી FCI એ 4274 રેલ રેકની મદદથી 119.67 લાખ ટન અનાજ લોડ કરીને વિભિન્ન રાજ્યોને મોકલાશે. તેમામંથી 4229 રેલ રેકથી 118.42 લાખ ટન અનાજ ગોદામમાં પહોંચાડવામાં આવ્યું છે. PMGKAY ના આધારે નક્કી 120 લાખ ટન અનાજમાંથી 110.17 લાખ ટન અનાજ રાજ્યોએ લઈ લીધું છે.