પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે PM મોદીના નિવાસસ્થાને કેન્દ્રીય કેબિનેટ યોજાઇ હતી. આ બેઠકમાં કૃષિ ક્ષેત્રના પાયના ઢાંચાના વિકાસ માટે એક લાખ કરોડ રૂપિયાના એગ્રી ઇન્ફ્રા ફંડને મંજૂરી આપી છે.
દિલ્હીમાં યોજાઈ કેન્દ્રીય કેબિનેટની બેઠક
કેબિનેટની બેઠકમાં લેવામાં અનેક મહત્વના નિર્ણયો
બેઠકમાં LAC વિવાદ પર ન થઈ કોઈ જ ચર્ચા
આ સાથે જ ગરીબ કલ્યાણ અન્ય યોજનાને આગામી નવેમ્બર માસ સુધી લંબાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, આ અંગેની જાણકારી પ્રધાનમંત્રી મોદીએ તેમના થોડા સમય પહેલા દેશને કરેલ સંબોધનમાં આપી હતી.
નાણામંત્રીએ પણ ટ્વીટ દ્વારા આપી હતી આ અંગેની જાણકારી
આ પહેલા દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ એક ટ્વીટ કરી હતી જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યામ અન્ન યોજનાના વિસ્તરણને મંજૂરી મળવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ નાણામંત્રીએ લખ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેબિનેટે આ યોજનાને આગામી નવેમ્બર માસ સુધી લંબાવવાની મંજૂરી આપી છે. જેનાથી 81.09 કરોડ લોકોને સતત 8 મહિના સુધી મફતમાં અનાજ પ્રાપ્ત થઇ શકશે.
કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના વિસ્તરણને મંજૂરી આપી છે. આગામી 5 મહિના જુલાઇથી નવેમ્બર સુધી આ યોજના ચાલુ રહેશે. પ્રથમ 3 મહીના 1 કરોડ 20 લાખ ટન અનાજનું વિતરણ કરાયું. આવનારા 5 મહિનામાં 2 કરોડ 3 લાખ ટન અનાજનું વિતરણ કરવાનું લક્ષ્યાંક છે : કેન્દ્રીય પ્રકાશ જાવડેકર
In view of the need for continuous support to the poor and needy, Cabinet approves extension of Pradhan Mantri Garib Kalyan Anna Yojana – allocation of additional foodgrain for further five months from July to November 2020: Union Minister Prakash Javadekar pic.twitter.com/LbHK6QAGPT
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના/આત્મનિર્ભર ભારત હેઠળ જૂનથી ઓગસ્ટ 2020 સુધી 3 મહિના માટે EPFનો ફાળો 24 ટકા (12% કર્મચારી અને 12% માલિક)ને મંજૂરી આપવામાં આવ્યો. લગભગ 4860 કરોડના રોકાણ સાથે 72 લાખ કર્મચારીઓને સીધો જ લાભ મળશે : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર
With a total estimated expenditure of Rs 4,860 crore, this move will benefit over 72 lakh employees: Union Minister Prakash Javadekar https://t.co/1ocHnnxYUu
પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ શહેરી પરપ્રાંતિયો/ ગરીબોને રાહતદરે ભાડા પર આવાસ આપવા માટેના પરિસરના વિકાસને કેબીનેટે મંજૂરી આપી. ત્રણ લાખ લોકોને લાભ મળશે : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર
Cabinet approves development of Affordable Rental Housing Complexes (AHRCs) for urban migrants/poor as a sub-scheme under Pradhan Mantri Awas Yojana – Urban: Union Minister Prakash Javadekar pic.twitter.com/jegnJIiTlw
ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ ત્રણ સિલિન્ડરોની અવધિ જૂનથી સપ્ટેમ્બર સુધી લંબાવામાં આવી છે. 13500 કરોડનો ખર્ચ થશે.
કેબિનેટે સાર્વજનિક ક્ષેત્રમાં 3 જનરલ વીમા કંપની- ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ તથા યૂનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ માટે 12,450 કરોડ રૂપિયાના મૂડી રોકાણોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં નાણાકીય વર્ષ 2019-20માં કરવામાં આવેલ 2500 કરોડ રૂપિયાનું રોકાણ પણ સામેલ છે.
Cabinet approves capital infusion of Rs 12,450 cr for 3 Public Sector General Insurance Companies – Oriental Insurance Company Ltd, National Insurance Company Ltd & United India Insurance Company Ltd (including Rs 2500 cr infused in FY 2019-20): Union Minister Prakash Javadekar pic.twitter.com/QD5JUpnYpw