મહેસાણાઃ દૂધસાગર ડેરીમાં મોલાસીસ કૌભાંડ મામલે ડેરીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને મેનેજર સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે હવે પોલીસે ડેરીના ડિરેક્ટર એન.પી.સંચેતી અને મેનેજર ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનુ છે કે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્ને અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે હવે ફરિયાદના આધારે પોલીસે બન્ને અધિકારીઓની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે.
ફેક્ટરીના મેનેજર જગુદાણ સાગરદાણ સામે પણ ફરિયાદ કરવામાં આવી હતી. વર્ષ 2015માં ઊંચા ભાવે મોલાસીસ ખરીદવાના મામલે ફરિયાદ કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લા રજીસ્ટારે ફરિયાદ નોંધાવી છે. ડિરેક્ટર એન.પી. સંચેતી અને મેનેજર મનોજ ગોસ્વામી સામે ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ બન્ને અધિકારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
બજાર ભાવ કરતા ઊંચા ભાવે મોલાસીસ ખરીદ્યું હતું. બંને અધિકારીએ ખરીદીમાં ડેરીને રૂપીયા 1 કરોડ 10 લાખનું પહોચાડ્યું નુકસાન હતું. મહેસાણા બી ડિવિઝન પોલીસે આરોપીઓની ધરપકડ કરી આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.