માથે ' મેલું ઉપાડવા ' નું ક્યારે બંધ થશે? સુએજ ઉતરી કચરો સાફ કરવા પર HCમાં અરજીનો મામલે આજે ફરીથી HCએ સરકારી અધિકારીઓનો ઉધડો લીધો હતો. તંત્રને ઘચકાવતાં હાઈકોર્ટે કહ્યુ હતુ કે જે અધિકારીઓ આદેશ નથી સાંભળતા તેમની સામે પગલા લો. સ્વચ્છ ભારત મિશનની વાતો થઈ રહી છે ત્યારે ગુજરાતમાં માણસો દ્વારા ગટર સાફ કરાવવાની ઘટનાઓને કોર્ટે અમાનવીય ગણાવી હતી.
HCએ રાજ્ય સરકારના રિપોર્ટ પર વ્યક્ત કરી નારાજગી
કોર્ટે નારાજગીની પોતાના હુકમમાં પણ કરી નોંધ
કોર્ટ આવતી કાલે આપી શકે છે નિર્દેશ
હાઈકોર્ટે આપ્યા છે આદેશ
ગુજરાત હાઈકોર્ટે સુએજમાં ઉતરી કામ કરવા પર પ્રતિબંધ હોવાની વાત જણાવી હતી તેમ છતાં કેમ લોકો ગટરમાં ઉતરીને કામ કરે છે. મેન્યુઅલ સુએજ પ્રતિબંધિત છે. ગુજરાત ગટર સાફ કરવાથી થતા મોતમાં હાઈએસ્ટ છે 3 જી ડિસેમ્બર 2019ના રોજ બે જણાના ગટરમાં સાફ કરવા ઉતરેલા મજૂરોના ગૂંગળામણ થવાથી મોત થયા હતા.
અરજદારની અરજીમાં શું છે વાત
ગટરમાં માણસોને ઉતારીને સાફ સફાઈ કરાવવા ઉપર પ્રતિબંધ છે. પ્રતિબંધ છતા લોકો કેમ કામ કરે છે? તંત્ર દ્વારા કેમ કોઈ પગલા નથી લેવાતા? માણસોને ગટરમાં કેમ ઉતારવામાં આવે છે. જે અધિકારીઓ હાઈકોર્ટના આદેશને પણ ગણકારતા નથી.
સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું
મેન્યુઅલ ગટર સાફ કરવાની પ્રવૃત્તિના કારણે મોત થયાનું નોંધ્યું છે. HCએ રાજ્ય સરકારના રિપોર્ટ પર નારાજગી વ્યક્ત કરી છે. આ નારજગીની નોંધ કોર્ટે પોતાના હુકમમાં પણ કરી છે. આ કેસની સુનાવણી હજી આવતી કાલે છે ત્યારે હાઈકોર્ટ આ મામલે ગુજરાત સરકાર સામે સ્ટ્રીક્ટ વલણ દાખવીને નવા કડક આદેશ જાહેર કરી શકે છે.
3જી ડિસેમ્બરે સુરતમાં 2 મજૂરના મોત થયા હતા
સુરતમાં ગટર સાફ કરવા ઉતરેલા મજુરોના મોત થયા છે. નાની વેડ ગામમાં ગટર સાફ કરનારા મજુરોના મોત થયા છે. જેમાં બે મજુરના ગેસ ગૂંગળામણથી મોત થયા છે. બંને ફાયર વિભાગ દ્ધારા રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે. સેફ્ટીના સાધનો કે વ્યવસ્થા વગર ઉતરેલા યુવકના મોત થતા તંત્ર પર સવાલ ઉઠ્યા છે. કિશોર મોતી સુરખા અને વિજયભાઇ ભૈયા નામના બે મજૂરોના મોત થયા હતા.
કોણે કરી છે અરજી
માનવ ગરિમા ટ્રસ્ટ દ્વારા એડવોકેટ હીરક ગાંગુલીએ હાઇકોર્ટમાં અરજી કરી છે, જેમાં રજૂઆત કરાઇ છે કે, હાઇકોર્ટમાં થોડાં વર્ષો પહેલાં માથે 'મેલું ઉપાડવા' મામલે થયેલી જાહેરહિતની અરજી બાદ સરકારને કોર્ટે કેટલાક નિર્દેશો આપ્યા હતા, જેમાં ગટરમાં સફાઇ કામદારને ઉતારવા નહીં પરંતુ ટેક્નોલોજીની મદદથી સફાઇ કરવાનું કહેવાયું હતું. સુપ્રીમ કોર્ટે પણ ગટરમાં માણસ દ્વારા કરાતી સફાઇ સામે કેટલીક માર્ગદર્શિકાનું પાલન કરવા આદેશ કર્યો છે. અરજીમાં એવી પણ રજૂઆત કરાઇ છે કે સરકાર સફાઇ કામદારોને પૂરતા સાધનો આપતી ન હોવાથી ડભોઇમાં જૂન 2019માં 7 સફાઇ કામદારોના ગૂંગળાઇને જતાં મોત નીપજ્યા હતા.