ભારતમાં દેશી કોરોનાની રસી પર કામ થઇ રહ્યું છે ત્યારે ચેન્નઈમાં કોવિડશિલ્ડ વેક્સિનના ટ્રાયલમાં ભાગ લેનાર એક વ્યક્તિએ સાઈડઈફેક્ટ્ સામે આવ્યાનો કર્યો દાવો, વ્યક્તિએ પાંચ કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે.
ચેન્નઈના એક વ્યક્તિમાં દેખાઈ ગંભીર આડઅસર
કોવિડશિલ્ડના ટ્રાયલમાં ડોઝ લીધા બાદ થઇ આડઅસર
વ્યક્તિએ પાંચ કરોડ રૂપિયાના વળતરની મૂકી માંગ
ભારતમાં આત્મનિર્ભર રસી બનવવા જોર
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને ચિંતામાં પણ વધારો થઇ રહ્યો છે. જોકે દેશમાં કોરોના વાયરસની રસી માટે જે રીતે કામ કરવામાં આવી રહ્યું છે તેને જોતા ઘણા લોકોના મનમાં આશા જાગી છે, સરકારે પણ કરોડો લોકૉને રસીના ડોઝ આપવા માટેની તૈયારી કરી લીધી છે ત્યારે જે રસી ભારતમાં ટ્રાયલમાં બધાથી આગળ માનવામાં આવી રહી હતી તેના પર એક નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. કોવિડશિલ્ડ નામક આ વેક્સિનની ગંભીર આડઅસર થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
40-year-old man who took part in the 'Covidshield' vaccine trial in Chennai alleges serious side effects, including virtual neurological breakdown and impairment of cognitive functions; seeks Rs 5 crore compensation.
દેશભરમાં કોરોના વાયરસની રસીનું ઉત્પાદન કરવા માટે વિવિધ કંપનીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસને નાથવા માટે તૈયાર કરવામાં આવી રહેલ વેક્સિન માટે ત્રીજા તબક્કામાં ટ્રાયલ કરવામાં આવી રહ્યા છે ત્યારે ચેન્નઈથી આ ચોંકવનારો મામલો સામે આવી રહ્યો છે.
ગંભીર આડઅસર થતાં પાંચ કરોડનો દાવો
ચેન્નઈમાં કોવિડશિલ્ડ માટે કરવામાં આવી રહેલ ટ્રાયલમાં આ વ્યક્તિએ પણ ભાગ લીધો હતો અને હવે તે વ્યક્તિએ દાવો કર્યો છે કે આ વેક્સીનનાં કારણે ગંભીર સાઈડ ઈફેક્ટ જોવા મળી રહ્યા છે. 40 વર્ષના વ્યક્તિમાં કોરોનાની રસી લીધા બાદ ગંભીર લક્ષણો દેખાવવા લાગ્યા હતા જેમાં વર્ચ્યુઅલ ન્યૂરોલોજીકલ બ્રેકડાઉન જેવી સમસ્યાઓ પણ સામેલ છે. વ્યક્તિએ હવે આ સાઈડ ઈફેક્ટની સામે પાંચ કરોડ રૂપિયાનાં વળતરની માંગ કરી છે. નોંધનીય છે કે આ વેક્સિનને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા દ્વારા તૈયાર કરવામાં આવી છે.
થોડા દિવસ પહેલા પણ એક ભૂલ સામે આવી હતી
નોંધનીય છે કે પાછલા દિવસોમાં પણ ટ્રાયલમાં એક ભૂલ સામે આવી હતી જોકે તે ભૂલ તો એક પ્રકારે સારી સાબિત થઇ હતી. આ ટ્રાયલમાં જે લોકોને વેક્સિનનો ઓછો ડોઝ આપવામાં આવ્યો તેમના પર 90 ટકા અસર થઈ અને જેમને બે ડોઝ આપવામાં આવી તેમના પર 62 ટકા અસર જોવા મળી. આમ આ ભૂલ સારી નીવડી, એસ્ટ્રાજેનેકા બુધવારે એક નિવેદનમાં આ જાણકારી આપી હતી.