ગૃહમંત્રી અમિત શાહે પ.બંગાળના ત્રણ તબક્કાની ચૂંટણીમાં ઓછામાં ઓછી 63-68 બેઠકો જીતવાનો દાવો કર્યો છે.
ગૃહમંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં કર્યો દાવો
63-68 જીતવાનો કર્યો દાવો
ભવાનીપુરમાં ઘેર ઘેર જઈને પ્રચાર કર્યો
એક પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે જણાવ્યું કે ત્રણ તબક્કામાં બંગાળની જનતાએ ભાજપને અભૂતપૂર્વ સમર્થન આપ્યું છે. અમારા અનુમાન પ્રમાણે, ભાજપ ત્રણ તબક્કામા 63 થઈ 68 બેઠકો પર વિજય મેળવશે.
Union Home Minister and BJP leader Amit Shah holds a door-to-door campaign in Bhawanipur of Kolkata, ahead of the fourth phase of #WestBengalPollspic.twitter.com/vctmISitlp
શાહે દાવો કર્યો કે જે રીતે ટીએમેસીએ લઘુમતી મતદાઓને એકજૂટ થઈને ટીએમસીને વોટ આપવાની અપીલ કરી છે તેમની વોટબેન્ક સરકી રહી છે. શાહે જણાવ્યું કે બંગાળની જનતા તમારે સામે એટલા માટે છે કે જે લાખા કરોડો શરણાર્થીઓ આવ્યાં છે તેમને નાગરિકતા આપવાનો કાયદો મોદી લાવ્યાં અને તમે તેનો વિરોધ કરી રહ્યાં છે. દીદી વારંવાર આરોપ લગાવી રહ્યા છે કે ગૃહમંત્રાલયના ઈશારે સીએપીએફ ચૂંટણીમાં અરાજકતા ફેલાવી રહી છે. પરંતુ દીદીને હું એક સામાન્ય બુદ્ધિની વાત સમજાવું કે જ્યારે સીએપીએફ ચૂંટણીના કામમાં લાગ્યા હોય ત્યારે તેમની પર ગૃહમંત્રાલયનો કોઈ કન્ટ્રોલ રહેતો નથી.
West Bengal: Bharatiya Janata Party (BJP) national president holds a roadshow in Rajarhat of Gopalpur constituency. pic.twitter.com/RRn0H6wnJ8
કોલકાતાના ભવાનીપુરમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો
અમિત શાહે કોલકાતાના ભવાનીપુરમાં ડોર ટુ ડોર પ્રચાર શરુ કર્યો હતો તથા લોકોને ભાજપને મત આપવાની અપીલ કરી હતી. મમતા બેનરજી પર નિશાન સાધતા શાહે કહ્યું કે પેરા મિલિટરી ફોર્સિસ ચૂંટણી સમયે ચૂંટણી પંચના અન્ડરમાં હોય છે. આટલી સીધીસાદી વાત જો દીદીની સમજણમાં ન આવતી હોય તો મને લાગે છે કે તેમની અધીરાઈ વધી રહી છે. શાહે કહ્યું કે ભાજપ કાર્યકરો પર સતત હુમલાઓ થઈ રહ્યાં છે. અમારા પ્રદેશાધ્યક્ષ દિલિપ ઘોષ પર હુમલો થયો. આ હુમલાની સામે ટીએેમસી નેતાની એક પણ ટીપપ્ણી આવી નથી. આ લોકો મૌન ઈશારા કરી રહ્યાં છે કે તમે હિંસા આચરો.