મુંબઇઃ માલેગાંવ બ્લાસ્ટ મામલે સાત આરોપીઓ પર આતંકવાદી ષડયંત્ર રચવાનો આરોપ નક્કી કર્યો છે. NIA કોર્ટે આરોપીઓ પર હત્યા અને અન્ય ગુનાઓના આરોપ પણ દાખલ કરાયા છે. UAPA અને IPCની કલમ હેઠળ આ કેસ ચાલશે.
આ પહેલા સોમવારે બોમ્બે હાઇકોર્ટે કર્નલ પુરોહિતના તેના વિરુદ્ધ આરોપ નક્કી કરવાની પ્રક્રિયાને રોકવા માટે મનાઇ ફરમાવી દીધી હતી. કર્નલ પુરોહિત સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ અન્ય આરોપીઓ પર મંગળવારે આરોપો નક્કી કરવામાં આવ્યા છે.
સાત આરોપીઓ વિરૂદ્ધ UAPAની કલમ 18 અને 16 IPCની કલમ 120 બી 302 307 324 326 427 153એ અને વિસ્ફોટક કાયદાની કલમ 3 4 5 અને 6 હેઠળ આરોપો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં કલમ 302 હત્યા 120બી ષડયંત્ર રચવા અને 307 હત્યાના પ્રયત્નો કરવા માટે લગાવવામાં આવ્યા છે.
પોતાના નિર્ણયમાં સેશન જજ વીએસ પડલકરે કહ્યું તમામ આરોપીઓ પર અભિનવ ભારત સંસ્થા બનાવવા અને 2008માં માલેગાંવ બ્લાસ્ટ કરાવવાના આરોપ લગાવાય છે જેમાં 6 લોકો માર્યા ગયા હતા. જે 7 આરોપીઓ વિરૂદ્ધ આરોપ નક્કી થયા તેમના નામ છે- સાધ્વી પ્રજ્ઞા રમેશ ઉપાધ્યાય સમીર કુલકર્ણી લે.ક.પુરોહિત સુધાકર દ્વિવેદી સુધાકર ચતુર્વેદી અને અજય રાહિરકર.
જોકે તમામ આરોપીઓએ પોતાના પર લાગેલા આરોપોથી ઇન્કાર કર્યો છે. આરોપી સુધાકર ચતુર્વેદીએ કહ્યું કે તમામ આરોપ ખોટા છે. સુપ્રીમ કોર્ટ પહેલા જ કહી ચૂકી છે કે અભિનવ ભારત આતંકવાદી સંસ્થા નથી. આ મામલે આગામી સુનાવણી 2 નવેમ્બરે થશે.