લોક રક્ષક દળ(LRD)ની ભરતીમાં અન્યાય થયો હોવાનાં આક્ષેપ સાથે રાજકોટમાં ચારણ, ભરવાડ અને રબારી સમાજ આક્રોશ પ્રદર્શન કરવા મોટી સંખ્યામાં ભેગા થયાં છે. ત્રણેય સમાજનાં આગેવાનોએ સભાને સંબોધન કર્યું હતું આ બાદ તેમણે રેલી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે રેલીની મંજૂરી ન હોવાથી કલેક્ટર ઓફીસે તેઓએ રેલી સ્વરુપે આવેદન પત્ર પાઠવશે.
LRD ભરતીમાં કેટેગરીમાં સમાવવામાં ન આવતા રોષ
છેલ્લા એક મહિનાથી માંગને લઈને કરી રહ્યા છે આંદોલન
અલગ અલગ વિસ્તારમાંથી ત્રણેય સમાજના લોકો ભેગા થયા
છેલ્લા એક મહિનાથી ત્રણેય સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે
રાજકોટમાં માલધારી સમાજ એકત્ર થયો છે. લોક રક્ષક દળ (LRD)માં ભરતીમાં થયેલાં અન્યાય મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે માલધારી સમાજનાં આગેવાનો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યાં છે. છેલ્લાં 1 મહિનાથી તેમની આ માગને લઈ માલધારી સમાજ આંદોલન કરી રહ્યું છે. ત્યારે રાજકોટમાં ચારણ, ભરવાડ અને રબારી સમાજની જાહેર સભાનું આયોજન કર્યું હતું. જેમાં અલગ અલગ વિસ્તારમાંથી ત્રણેય સમાજનાં લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે.
માલધારી સમાજની માંગ શું છે?
માલધારી સમાજની માગ છે કે LRD પરીક્ષાનું મેરિટ ફરીથી બહાર પાડવામાં આવે. તેઓએ કહ્યું કે, LRD પરીક્ષામાં નેસડાવાસીઓએ STમાં ફોર્મ ભર્યું પરંતુ પરિણામ સમયે LRDના મેરિટમાં STમાં ગણતરી ન થઈ. પોરબંદર, જૂનાગઢ, સોમનાથનાં જંગલ વિસ્તારનાં માલધારીઓનો STમાં સમાવેશ થાય છે અને જંગલ વિસ્તાર સિવાયનાં અન્ય વિસ્તારનાં માલધારીઓ OBCમાં આવે છે. ત્યારે નેસડાવાસીઓનો STમાં સમાવેશ ન થતા વિદ્યાર્થીઓ અટવાયા છે. જેને લઈ હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે.