કેન્દ્ર સરકારે છેલ્લા 5 વર્ષોમાં ખુબ ઝડપી નેશનલ હાઇવે બનાવ્યા છે. 2018-19માં 30 કિલોમીટર પ્રતિદિવસ નેશનલ હાઇવ બનવાનો રેકોર્ડ પણ બની ચૂક્યો છે. પરંતુ હવે નેશનલ હાઇવેની જાળવણી પણ ચિંતાનો વિષય બની ગયો છે. જેનું એક મોટું કારણ છે જાળવણી માટે જરૂરી ફંડની સામે ફાળવાયેલું ફંડ ખુબ ઓછું છે.
નેશનલ હાઇવેની જાળવણી બન્યો ચિંતાનો વિષય
ટ્રાન્સપોર્ટ, ટૂરિઝમ સાથે જોડાયેલી સંસદીય સમિતિ ઉઠાવ્યાં સવાલ
જાળવણી માટે જરૂરી ફંડની સામે માત્ર 35 ટકા ફંડ ફાળવાયું
2018-19માં સરકારે નેશનલ હાઇવેની જાળવણી માટે જેટલા ફંડની જરૂર હતી તેનાથી માત્ર 35 ટકા જ ફંડની ફાળવણી કરાઇ હતી. ટ્રાન્સપોર્ટ, ટૂરિઝમ અને સાંસ્કૃતિકથી જોડાયેલી સંસદીય સમિતિએ પોતાના હાલમાં રિપોર્ટમાં એ સવાલ ઉઠાવ્યો છે કે નેશનલ હાઇવેની જાળવણીને નાણામંત્રાલય કેમ ગંભીર નથી.
પેનલે રજૂઆત કરી કે સરકાર ઇચ્છે તો ફ્રેટ ટ્રાફિક એટલે કે ગુડ્સ કેરિયર પર મેન્ટેનન્સ ચાર્જ પર વિચાર કરી શકે છે જેથી જે પૈસા આવે તેનો ઉપયોગ નેશનલ હાઇવેની જાળવણી માટે કરી શકાય. પેનલે પોતાની રિપોર્ટમાં કહ્યું કે 2016-17માં નેશનલ હાઇવેની જાળવણી માટે જેટલા ફંડની જરૂર હતી તેનાથી માત્ર 40 ટકા અપાયાં હતા.
જ્યારે 2017-18 અને 2018-19માં જેટલા ફંડની જરૂર હતી તેના માત્ર 35 ટકા ફંડ અપાયું હતું . ત્યારે નવા રસ્તાઓ બનાવાથી વધુ જે રસ્તાઓ છે તેની જાળવણી પર વધુ ધ્યાન આપવું જોઇએ. કારણ કે ખરાબ રસ્તાઓના કારણ અકસ્માત, વાહનચાલકોને હાલાકી જેવી સમસ્યાઓ ઉભી થાય છે.