સુશાંત સિંહ રાજપૂતને મોતથી બોલિવૂડ જગતને ઘેરો આઘાત લાગ્યો છે. એક્ટરનો પરિવાર અને સંબંધી આ વાત માનવા તૈયાર નથી કે સુશાંત આપઘાત કરી શકે છે. તેણે તેના ઘરે જ સુસાઈડ કરી લીધું હતું. તેના નિધન બાદથી જ સોશિયલ મીડિયા પર ઘણી વાતો કહેવામાં આવી રહી છે. તો હવે પ્રખ્યાત ડિરેક્ટર મહેશ ભટ્ટ એસોસિએટ અને લેખક સુહિત્રા સેનગુપ્તાએ એક ખુલાસો કર્યો છે.
સુશાંતની મોત પાછળ રહી ગયા છે અનેક સવાલો
સોશિયલ મીડિયા પર લોકો બોલિવૂડ પર લગાવી રહ્યાં છે આરોપ
ત્યારે હવે ડિરેક્ટર મહેશ ભટ્ટ એસોસિએટ અને લેખક સુહિત્રા સેનગુપ્તાએ એક ખુલાસો કર્યો છે
સુહિત્રા સેનગુપ્તાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, સુશાંત એકવાર ભટ્ટ સાહબથી સડક 2માં રોલ માટે મળવા આવ્યો હતો. તે ખૂબ વાતોડિયો હતો. તે કોઈપણ ટોપિક પર વાત કરી શકતો હતો. આ દરમિયાન ભટ્ટ સાહબ સુશાંતની હાલત જોઈને સમજી ગયા હતા કે તેની હાલત એક્ટ્રેસ પરવીન બોબી જેવી થઈ ગઈ છે. હવે દવાઓ જ તેને ઠીક કરી શકે છે. જ્યારે તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા જ્યારે તેની સાથે રહેતી ત્યારે ધ્યાન રાખતી કે તે સમય પર દવાઓ લે. પણ સુશાંત દવા લેવાથી ઈન્કાર કરી દેતો હતો.
સુહિત્રા સેનગુપ્તાએ આગળ કહ્યું- લગભગ એક વર્ષથી સુશાંતે બાહ્ય દુનિયાથી સંપર્ક તોડી દીધું હતું. રિયા ચક્રવર્તી તેની સાથે હતી પરંતુ તે પણ વધુ સમય સુશાંતની સાથે રહી શકી નહીં. હવે એવો સમય આવી ગયો હતો કે, સુશાંતને અજીબ અવાજો સંભળાવા લાગ્યા હતા. તેને એવું લાગતું હતું કે લોકો તેને મારવાની કોશિશ કરી રહ્યાં છે. એક દિવસ રિયા અને સુશાંત તેના ઘરે અનુરાગ કશ્યપની ફિલ્મ જોઈ રહ્યાં હતા. આ દરમિયાન સુશાંતે રિયાને કહ્યું મેં અનુરાગની ફિલ્મ કરવાની ના પાડી એટલે તે મને મારી નાખશે. સુશાંતની આ વાત સાંભળી રિયાને લાગવા લાગ્યો હતો.
તેણે આગળ જણાવ્યું- જ્યારે આ વાત મહેશ ભટ્ટને ખબર પડી તો તેમણે રિયાને તરત જ સુશાંતથી દૂર થઈ જવાની સલાહ આપી હતી. મહેશ ભટ્ટે રિયાને સમજાવી કે, હવે તે કંઈ નહીં કરી શકે. જો તે સુશાંતની સાથે રહેશે તો તેની રિયા પર પણ ખરાબ અસર થશે. ત્યારબાદ રિયા સુશાંતની બહેનની રાહ જોવા લાગી કે, એ આવે અને સુશાંતને સાચવે, પણ સુશાંતને ધ્યાન રાખવામાં આવે તે પહેલાં જ તેણે મોતને વહાલું કરી દીધું.