મહારાષ્ટ્રમાં સરકાર ગઠન કરાયાના લગભગ ત્રણ સપ્તાહ બાદ વિભાગોની વહેંચણી કરાઇ છે. શિવસેનાના એકનાથ શિંદેને ગૃહ વિભાગ મળ્યું છે. જ્યારે કોંગ્રેસના બાલા સાહેબ થોરાતને મહેસૂલ વિભાગ મળ્યું છે. જ્યારે નાણા મંત્રાલય NCPના જયંત પાટીલને આપવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં સરકારના ગઠન બાદ ત્રણ સપ્તાહે વિભાગોની વહેંચણી કરાઇ
શિવસેનાના નેતા એકનાથ શિંદેને ગૃહ વિભાગ મળ્યું છે
ઉદ્યોગ અને રમત વિભાગ સુભાષ દેસાઇની પાસે રહેશે
આ ઉપરાંત NCPના છગન ભૂજબલને જળ સંશાધન અને ગ્રામ વિકાસ મંત્રાલય આપવામાં આવ્યું છે. જ્યારે ઉદ્યોગ અને રમત વિભાગ સુભાષ દેસાઇની પાસે રહેશે. બીજી તરફ કોંગ્રેસના નિતિન રાઉતને PWD વિભાગ અપાયો છે.
નોંધનીય છે કે, ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ 28 નવેમ્બરે શિવાજી પાર્કમાં ધૂમધામથી શપથ લીધા હતા. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સાથે 6 મંત્રીઓએ પણ શપથ અપાવવામાં આવી હતી. આ પહેલા સમાચાર મળ્યા હતા કે ગૃહ વિભાગને લઇને પેચ ફસાયો હતો.
#Maharashtra portfolio allocation: State ministers Eknath Shinde (Shiv Sena) gets Home, Urban Development, Environment, PWD, Tourism and parliamentary works; Chhagan Bhujbal (NCP) gets Rural Development, Social Justice, Water Resources, State Excise pic.twitter.com/loOoEU2RtB
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) ની જેમ ગૃહ વિભાગ પોતાની પાસે રાખવા માંગતા હતા. પરંતુ એનસીપી (NCP) અને કોંગ્રેસ (Congress) તેના પર રાજી નહોતી.
મહારાષ્ટ્ર (Maharashtra) માં શિવસેના-કોંગ્રેસ-એનસીપી (Shiv Sena-Congress-NCP) ના 'મહા વિકાસ અઘાડી' ના નેતા રૂપે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરેની સાથે-સાથે ત્રણેય પાર્ટીઓન 6 નેતાઓએ પણ કેબિનેટ મંત્રીના રૂપે શપથ લીધા. તેમા શિવસેનાના ક્વોટાથી એકનાથ શિંદે અને સુભાષ દેસાઇ, NCPના ક્વોટાથી જયંત પાટિલ અને છગન ભૂજબલ, કોંગ્રેસના ક્વોટાથી બાલાસાહેબ થોરાટ અને નિતિન રાઉત સામેલ છે.