જાણકારી અનુસાર રાયગઢની ચિપલૂન હોસ્પિટલમાં કુલ 21 દર્દીઓ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ 11 દર્દીઓના મોત
સમગ્ર મહારાષ્ટ્રમાં 129 લોકોના જીવ ગયા
NDRFની ટીમ દ્વારા બચાવ કાર્ય શરૂ
હોસ્પિટલમાં દાખલ કરેલ 11 દર્દીઓના મોત થયા
રાયગઢમાં અલગ અલગ 4 લેન્ડસ્લાઈડના કારણે અનેક લોકો ફસાયા છે. 15 લોકોને કાઢી લેવાયા છે તો 30 લોકોના હજુ પણ ફસાયા હોવાની માહિતી મળી રહી છે. હાલ ત્યાં હોસ્પિટલમાં દાખલ કરેલ 11 દર્દીઓના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણકારી અનુસાર રાયગઢના ચિપલૂન હોસ્પિટલમાં કુલ 21 દર્દીઓ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ઘણા દર્દીઓ વેન્ટિલેટર પર હતા. વધુ વરસાદ અને પૂરન કારણે સમગ્ર વિસ્તારમાં તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. હોસ્પિટલનો સંપર્ક પણ તૂટી ગયો છે.
સમગ્ર મહારાષ્ટ્રમાં 129 લોકોના જીવ ગયા
જણાવવામાં આવી રહ્યું છે કે મેડિકલ ઓફિસરનો સંપર્ક છેલ્લી વાર ગુરુવારે 3.30 વાગ્યે થયો હતો. વરસાદ હવે ઘટતા આ જિલ્લામાં પાણી પણ હવે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. હવે લોકો પોતાનું ઘર અને દુકાનો સાફ કરવામાં લાગી ગયા છે. આ બધા વચ્ચે આ વાત સામે આવી છે કે ચિપલૂન હોસ્પિટલમાં કુલ 21 દર્દીઓ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 11 દર્દીઓના મોત થયા હતા. હોસ્પિટલ પ્રશાસન હવે બાકી રહેલ દર્દીઓના જીવ બચી જાય તેની તૈયારીઓમાં લાગી ગયા છે. હાલ પ્રશાસન પાસે સંપર્ક કરી બધી જ જાણકારી લેવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં સમગ્ર મહારાષ્ટ્રમાં 129 લોકોના જીવ ગયા છે.
કેન્દ્ર બધી જ મદદ કરી રહ્યું છે : અમિત શાહ
મહારાષ્ટ્રમાં ભયંકર વરસાદને કારણે CM ઉદ્ધવ ઠાકરે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે વાત થઈ હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે મહારાષ્ટ્ર અને રાયગઢમાં વધુ વરસાદ અને ભૂસ્ખલનને કારણે જે લોકોના મોત થયા તે ઘણું જ દુખદ છે. મે આ સંદર્ભે CM ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે અને NDRFના DG સાથે પણ વાત કરી છે. NDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. કેન્દ્ર બધી જ સંભવ મદદ કરી રહ્યું છે.