વેલેન્ટાઇન વીકની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે લાલ ગુબાબનું આગવું મહત્વ હોય છે. પરંતુ જ્યોતિષમાં લાલ ગુલાબનો વિશેષ મહિમા છે તો તમે પણ જાણો કે મહાકાળી માતાને ગુલાબ ચઢાવીને તમે કેવી રીતે તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો.
વેલેન્ટાઇન વીકનો પ્રથમ દિવસ રોઝ ડે તરીકે ઉજવાય છે અને વિશ્વભરના પ્રેમીઓ પરસ્પર લાલ ગુલાબનું ફૂલ આપીને પોતાનો પ્રેમ પ્રદર્શિત કરે છે. ગુલાબ એવું ફૂલ છે જેનો ઉપયોગ પ્રેમ દર્શાવવા પ્રાચીન કાળથી થઈ રહ્યો છે. ફૂલ કુદરતની એવી કરામત છે જેની સુંગધથી નકારાત્મક શક્તિઓ નાશ પામે છે.
ગુલાબન ફૂલના પ્રયોગથી તમે સુખી સંપન્ન પણ થઈ શકો છો. પૌરાણિક માન્યતા પ્રમાણે મા કાલી તથા દેવી દુર્ગાને લાલ રંગના ફૂલ અથવા તો લાલ ગુલાબ નિયમિત અર્પણ કરવાથી તમારી મનોકામના જરૂર પૂર્ણ થશે.
મા દુર્ગાને લાલ ગુલાબનો હાર અથવા તો લાલ જાસૂદના ફૂલનો હાર ચઢાવવામાં આવે તો માતાજી ઘણા પ્રસન્ન થાય છે. મહાકાળી માતાને પણ જાસૂદના ફૂલ ઘણા પસંદ છે. એક માન્યતા પ્રમાણે તમે જો 108 લાલ જાસૂદનો હાર માતાને અપર્ણ કરશો તો જરૂર સુખ સંપત્તિ પામશો. સાથે જ માતાના પાર્વતી કે ગૌરી સ્વરૂપને સફેદ કમળ ચંપો કે લાલ રંગનું ફૂલ ચઢાવી શકાય છે.
ઉપરાંત પાણી વાળું શ્રીફળ અને લાલ ગુલાબ તથા સેવને સતત 43 દિવસ સુધી માતા કાળીને અર્પણ કરવામાં આવે તો તમારી મનોકામના પૂર્ણ થાય છે. આ તમામ વસ્તુઓ માતાજીને સાંજના 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં અર્પણ કરી શકાય છે. સેવનો રંગ લાલ હોય તો પણ માતાજી ઘણ પ્રસન્ન થાય છે.
આ પ્રયોગ સતત 43 દિવસ સુધી મહાકાળીના મંદિરે જઇને કરવો જોઈએ જો વચ્ચેથી અટકી જવાય તો ફરીથી 43 દિવસ માટે આ પ્રયોગ કરવો.