મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીના રૂપે ચોથી વાર શપથ લેનારા શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કર્યો. સોમવાર મોડી રાત્રે શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે શિવરાજ સરકારને 104ના આંકડાની જરૂર હતી. પરંતુ બીજેપીએ 112 ધારાસભ્યોનું સમર્થન સાબિત કર્યું.
વિધાનસભામાં શિવરાજ સિંહ ચૌહાણ સરકારને કુલ 112 ધારાસભ્યોનું સમર્થન મળ્યું
વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે શિવરાજ સરકારને 104ના આંકડાની જરૂર હતી
આ પહેલા 22 ધારાસભ્યોના રાજીનામા બાદ અલ્પમતમાં આવવાને કારણે કમલનાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. વિધાનસભામાં શિવરાજ સિંહ ચૌહાણ સરકારને કુલ 112 ધારાસભ્યોનું સમર્થન હાંસલ થયું. તેમા ભાજપના 107 ઉપરાંત બસપા-સપા અને અપક્ષ ધારાસભ્યોએ પણ બીજેપીને સમર્થન આપ્યું.
સોમવારે શપથ લીધા બાદ શિવરાજની તરફથી વિધાનસભાનું ચાર દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જે 24 માર્ચથી 27 માર્ચ સુધી ચાલશે. વિધાનસભાના ચાર દિવસીય વિશેષ સત્રમાં ગૃહની કુલ ત્રણ બેઠક મળશે.
નોંધનીય છે કે કમલનાથ સરકારના રાજીનામાના ચાર દિવસ બાદ સોમવારની સાંજે શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેની સાથે જ શિવરાજ સિંહ પ્રદેશના પહેલા નેતા બની ગયા, જે ચોથી વાર મુખ્યમંત્રી બન્યા છે.
શિવરાજના હાથમાં સત્તાની કમાન આવ્યા બાદ વિધાનસભા સ્પીકર નર્મદા પ્રસાદ પ્રજાપતિએ મોડી રાત્ર સ્પીકર પદેથી રાજીનામુ આપી દીધું. વિધાનસભા ઉપાધ્યક્ષને મોકલેલા પોતાના રાજીનામામાં તેઓએ નૈતિકતાને આધાર બતાવ્યું છે.