ભાજપના આ મુખ્યમંત્રી પણ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઈન્દોરમાં એક કાર્યક્રમમાં ભૂ-માફિયાના મુદ્દે બોલી રહ્યા હતા. આ સમય દરમિયાન, તેમણે આ ટ્રેન્ડી વાક્યનો ઉપયોગ કર્યો, સાથે 'ટાઇગર ઝિંદા હૈ'ના ડાયલોગને પણ યાદ કર્યો.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ 'પાવરી હો રે હૈ'ની જમાતમાં સામેલ થઈ ગયા હોય તેવુ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ફ્રેઝ દ્વારા તેમણે કડક શબ્દોમાં ભૂમાફિયાઓને ચેતવણી આપી છે. મુખ્યમંત્રીએ મંગળવારે રાત્રે અહીં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, જો કોઈ પણ બેઈમાન, બદમાશ, ઠગ અને માફિયાઓએ રાજ્યના લોકો ઉપર અત્યાચાર અને અન્યાય કરવાનો પ્રયાસ કર્યો હોય તો હું ડંકાની ચોટ પર કહી રહ્યો છું કે અમે તેને ક્યાંય નહીં છોડીએ.'
શિવરાજ સિંહ ચૌહાણે ભૂમાફિયાઓને આપી ચેતવણી
શિવરાજસિંહ ચૌહાણે મંચ પર બેઠેલા નેતાઓ અને સરકારી અધિકારીઓ તરફ ઇશારો કર્યો અને કહ્યું, "આ હું છું, આ મારી સરકાર છે, આ મારી વહીવટી ટીમ છે અને તમે જોશો કે ભૂમિ માફિયાઓ ભાગી રહ્યા છે." મુખ્યમંત્રીનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.મહત્વનું છે કે પાકિસ્તાની યુવતી દનાનીર મુબીને ગયા મહિને ઇન્સ્ટાગ્રામ પર "પાવરી હો રહી હૈ" વીડિયો મૂક્યો હતો. આ વીડિયોમાં તેણી કેટલાક મિત્રો સાથે રસ્તા પર પાર્ક કરેલી કાર પાસે પાર્ટી કરતી જોવા મળી રહી છે. 'પાવરી ગર્લ' તરીકે પ્રખ્યાત બનેલી પાકિસ્તાની મહિલાએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે "આ અમારી ગાડી છે, આ અમે છીએ અને આ અમારી પાવરી (પાર્ટી) થઈ રહી છે." દનાનીરનો આ વીડિયો ખૂબ જ લોકપ્રિય થયો છે અને સોશ્યલ મીડિયામાં લોકો તેના પર વિવિધ પ્રકારના મેમ્સ બનાવી રહ્યા છે.
છેલ્લા અમુક સમયથી આક્રમક અંદાજમાં દેખાઈ રહ્યા છે MPના મુખ્યમંત્રી
મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે મંગળવારે રાત્રે ઈન્દોરમાં એક કાર્યક્રમમાં રાજ્યના રાજકીય વાતાવરણમાં ઘણીવાર રૂઢિપ્રયોગ તરીકે વપરાતા વાક્ય 'ટાઈગર અભી જિંદા હૈ' નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, 'મેં પહેલેથી જ કહ્યું હતું કે ટાઈગર હજુ પણ જીવતો છે અને હવે આ ટાઈગર ભૂ-માફિયા, ચીટ ફંડ કંપનીઓના દલાલો, ડ્રગ ડીલરો અને માતા બહેનોની જિંદગી ખરાબ કરનાર લોકોના શિકાર પર નીકળ્યો છે.'
છેલ્લા અમુક સમયથી પોતાના આક્રમક અંદાજ માટે પ્રસાર માધ્યમોમાં છવાયેલા રહેતા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ કાલે તેમના સંબોધનમાં ભૂમાફિયાઓને ચેતવણી આપતા કહ્યું હતું કે કાં તો તમે મધ્ય પ્રદેશ છોડી દો, અથવા તો હું ૧૦ ફૂટ ઊંડો ખાડો ખોદીને ત્યાંને જમીનમાં જીવતા દફનાવી દઇશ.' જો કે તેના પછી તેમણે સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે આનો મતલબ માત્ર ભૂમાફિયાઓ પર કડક કાર્યવાહીથી છે.