ઓમિક્રોનને લઈને કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્યોને પણ સાવધાની વર્તવાની શરુ કરી દીધી છે. રાજધાની લખનૌમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
લખનૌમાં કલમ 144 લાગુ કરવામાં આવી
માસ્ક લગાવવં ફરજિયાત
વિધાનસભા બહાર ભારે સુરક્ષા
લખનૌમાં કલમ 144 લાગુ કરવામાં આવી
કોરોનાના નવા વેરિએન્ટને લઈને કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્યોને પણ સાવધાની વર્તવાની શરુ કરી દીધી છે. અનેક રાજ્યોમાં સ્કૂલોને બંધ કરવાનો નિર્ણય થયો તો શહેરમાં પ્રતિબંધ વધારી દેવામાં આવ્યો છે. આ શ્રેણીમાં ઉત્તર પ્રદેશ સરકારે પણ મોટું પગલું ભર્યુ છે અને રાજધાની લખનૌમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
માસ્ક લગાવવં ફરજિયાત
લખનૌમાં ક્રિસમસ 31 ડિસેમ્બર અને નવા વર્ષની પાર્ટીઓ દરમિયાન કોવિડ પ્રોટોકોલની કડકાઈથી પાલન કરવું, માસ્ક લગાવવુ અને 2 ગજના અંતરનુ પાલન કરવું ફરજિયાત હશે. પોલીસે મંગળવારે આને લઈને જારી આદેશમાં કહ્યું કે સીઆરપીસીની કલમ 144 હેઠળ લખનૌમાં 5 જાન્યુઆરી 2022 સુધી નિષેઘાજ્ઞા લાગૂ રહેશે. પોલીસ આયુક્ત ડી. કે. ઠાકુરે જણાવ્યું કે શાસન તરફથી લાગૂ કરવામાં આવેલા કોરોના પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવાનુ રહેશે. આ દરમિયાન વિધાન ભવન અને તેની આસપાસ એક કિલોમીટરના દાયરામાં વિશેષ સતર્કતા રહેશે.
વિધાનસભા બહાર ભારે સુરક્ષા
નવા નિયમો મુજબ આ વિસ્તારમાં ઈક્કા, તાંગા, આતિશબાજી, જ્વલનશીલ પદાર્થને લઈને ચાલવું પ્રતિબંધિત રહેશે. ત્યારે ઓનલાઈન ગતિવિધીઓ પર સાઈબર ક્રાઈમ સેલની બાજ નજર રહેશે. ઓનલાઈન અફવા ફેલાવનારા અને વાંધાજનક પોસ્ટ રાખનારા સામે કડક પગલા ભરવામાં આવશે. આ ઉપરાંત UPSC અને પીએસસી એક્ઝામથી લઈને કોઈ પણ પ્રકારની સરકારી પરીક્ષાને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઓમિક્રોન વેરિએન્ટનો ખતરો
ભારતમાં અત્યાર સુધી ઓમિક્રોન વેરિએન્ટના 20થી વધારે મામલા સામે આવી ચૂક્યા છે અને તેવામાં હજું વધારે સતર્કતા વર્તવામાં આવી રહી છે. આ ઉપરાંત વિશેષજ્ઞોએ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે અને સરકાર આ નવા વેરિએન્ટને લઈને વધારે સાવધાની વર્તી રહી છે.