લખનઉ નગર નિગમમાં રખડતા શ્વાનની વધતી સંખ્યા પર નિયંત્રણ મેળવવા 70000 શ્વાનની નસંબંધી કરાશે, જેમાં એકનો ખર્ચ 999 રૂપિયા આવશે.
લખનઉ નગર નિગમનો નિર્ણય
કરાશે 70000 શ્વાનની નસબંધી
એક માટે આવશે 999 રૂપિયાનો ખર્ચ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં શ્વાનની વધતી સંખ્યાથી હડકંપ મચ્યા બાદ અહીં લખનઉ નગર નિગમે શ્વાનની નસંબંધીનો પ્રસ્તાવ મૂક્યો છે અને તેની પર સર્વસંમતિની મહોર લગાવી છે. હવે લખનઉ નગર નિગમ અભિયાન ચલાવીને શ્વાનની નસબંધી કરશે. અભિયાનના આધારે લખનઉ નગર નિગમના 70 હજારના પ્રસ્તાવને સર્વસંમતિથી પાસ કરાયો છે. તેના માટેનું બજેટ પણ પાસ કરાયું છે. તેમાં દરેક શ્વાનની નસબંધી માટે 999 રૂપિયાનો ખર્ચ આવશે તેમ નક્કી કરાયું છે.
મિશન મોડ પર જલ્દી કામ કરાશે શરૂ
નગર નિગમના અંતર્ગત 70 હજાર શ્વાનની નસબંધીના પ્રસ્તાવને પાસ કરતાં તેને મિશન મોડ પર કરવાનો આદેશ ઉચ્ચ અધિકારીને અપાયો છે. આ પ્રસ્તાવથી આતંકનો પર્યાય બનેલા રખડતા શ્વાનથી શહેરની જનતાને રાહત મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે. નગર નિગમની બોર્ડની બેઠકમાં આ પ્રકારના શ્વાનની ધરપકડ અને નસબંધીને માટે સર્વસંમતિથી બજેટ પાસ કરાયું છે. નિગમ અધિકારીનો દાવો છે કે જલ્દી આ મિશન મોડ પર કામ શરૂ કરી દેવાશે.
નગર નિગમની બોર્ડની બેઠક સમયે દરેક સભ્યોએ એક સાથે શહેરમાં આતંક મચાવી રહેલા શ્વાનનો મુદ્દો પ્રમુખતા સાથે ઉઠાવ્યો, મહાપૌર સંયુક્તા ભાટિયા અને નગર આયુક્ત અજય દ્વિવેદીએ સ્ટ્રીટ ડોગની ધરપકડ અને નસબંધી માટે નગર નિગમનું બજેટ પ્રતિ શ્વાન માટે 999 રૂપિયા નક્કી કર્યું છે. પહેલા તબક્કામાં 70 હજાર શ્વાનની નસબંધીનો પ્રસ્તાવ પાસ કરાયો છે. નગર નિગમના અધિકારીના આધારે જલ્દી તેની પર કામ શરૂ કરાશે.