કોરોના વાયરસના કારણે દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ છે ત્યારે દૂરદર્શને ફરી રામાયણ સીરિયલ શરૂ કરી છે. મોટી સંખ્યામાં તેને દર્શકો પસંદ કરી રહ્યા છે,રામાયમાં અનેક પ્રસંગો બતાવવામાં આવ્યા પણ રામ રાવણનું યુદ્ધ ફક્ત માતા સીતાને રાવણની પાસેથી આઝાદ કરવા માટેનું નહતું પણ અસત્ય પર સત્યના વિજય માટે પણ હતું. શું તમે જાણો છો કે ભગવાન રામે રાવણના હ્રદય પર એક પણ તીર ન ચલાવ્યું. તેની પાછળ આ છે કારણ.
આ રીતે થયું હતું રામાયણમાં રામ રાવણનું યુદ્ધ
આ કારણે ભગવાન રામે ન ચલાવ્યું રાવણના હ્રદય પર તીર
આ રીતે કર્યો રાવણનો વધ અને સીતાજીને કરાવ્યા મુક્ત
ભયંકર અને વિધ્વંસક હતું રામ રાવણનું યુદ્ધ
ભગવાન રામ અને રાવણની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે જ્યારે રામ રાવણનું શીશ કાપતા તો એક વધારે માથું રાવણના શરીર પર આવી જતું. રામે રાવણને 10 માથા અને ભુજાઓમાં 10-10 બાણ માર્યા પણ તે ફરી યોગ્ય બન્યા. આવું તેઓએ અનેક વાર કર્યું પણ રાવણને મારવાની કોશિશ દરેક વખતે નાકામ રહી. બંનેની વચ્ચે ત્રણેય લોકને હલાવી દેનારું યુદ્ધ થયું.
દેવતાઓએ બ્રહ્માજીને પૂછ્યો સવાલ
આ સમયે દરેકના મનમાં પ્રશ્ન થયો કે ભગવાન રામે રાવણને અનેક માથા અને હાથ કાપીને ફંકી દીધા અને હ્રદય પર એક પણ તીર કેમ ન ચલાવ્યુ. તેઓએ બ્રહ્માજીને પ્રશ્ન પૂછ્યો અને બ્રહ્માજીએ જવાબ આપ્યો કે દેવતાઓએ કહ્યું કે રાવણના હ્રદયમાં સીતાન વાસ છે અને સીતાના હ્રદયમાં રામ અને તેમના હ્રદયમાં આખી સૃષ્ટિનો વાસ છે. જો રામ રાવણના હ્રદય પર તીર ચલાવે તો આખી સૃષ્ટિ નષ્ટ થઈ જાય.
વિભિષણે જણાવ્યું આ વરદાન વિશે
બ્રહ્માજીએ જણાવ્યું કે જ્યારે રાવણના હ્રદયથી સીતાનું ધ્યાન હટશે ત્યારે રામ રાવણનો સંહાર કરશે. આ વાતની જાણકારી વિભિષણને મળી અને ત્યારે તેઓએ રાવણની નાભિમાંના અમૃત વિષે જણાવ્યું. તેની પર પ્રહાર કરવા કહ્યું. ભગવાન રામે આતાતાયી રાક્ષસ રાવણની નાભિ પર તીર ચલાવીને અમૃતને સૂકવી દીધું.
આ રીતે થયો રાવણનો અંત
નાભિમાંનું અમૃત સૂકાઈ જવાના કારણે રાવણનું મન વિચલિત થયું અને તેના હ્રદયથી પળભર માટે સીતાજી હટી ગયા. ત્યારે ભગવાન રામે અગત્સ્ય મુનિ દ્વારા કરાયેલા બ્રહ્માસ્ત્રથી તેમના હ્રદય પર પ્રહાર કર્યો અને તેનો અંત કર્યો. યુદ્ધ જીતીની સીતાજીને મુક્ત કર્યા. રાવણમનો વધ જ દશેરા એટલે કે વિજયાદશમી કહેવાયો.
સીતાજીનો ઉપાસક હતો રામ
લંકાપતિ રાવણ ત્રેતા યુગનો સૌથી હીન પ્રાણીની સાથે એક બ્રહ્મજ્ઞાની, કુશળ રાજનીતિજ્ઞ અને બહુ વિદ્યાઓનો જાણકાર પણ હતો. ભગવાન રામની સાથે યુદ્ધમાં તેનું મોત થયું અને મોક્ષ પ્રાપ્તિ થઈ. રાવણ જાણતો હતો કે માતા સીતા લક્ષ્મી સ્વરૂપા છે. રાવણ સીતાજીનું હરણ કરીને તેમને લાવ્યો હતો. જેના કારણે ભગવાન રામના હાથે તેને મુક્તિ મળે અને તેના પાપનો અંત થાય.